Abtak Media Google News

કુપોષણમાં છેલ્લા દશકામાં ૧૦ ટકાનો ઘટાડો છતા દિલ્હી દુર!!!

દુનિયાભરનાં દેશોમાં કુપોષણથી પીડાઈ રહેલા ૧૫ કરોડ બાળકોમાંથી ૪.૬૬ કરોડ બાળકો ભારતના છે. વિશ્વના ત્રીજા ભાગના કુપોષિત બાળકો છે તેમ ન્યુ ગ્લોબલ ન્યુટ્રીસીયન રીપોર્ટ ૨૦૧૮ના રીપોર્ટમાં જણાવાયું છે.

જોકે, છેલ્લા દશ વર્ષમાં દેશમાં કુપોષિત બાળકોની ટકાવારીમાં ૧૦ ટકા જેવો ભારે ઘટાડો થવા પામ્યો છે. જેથી કુપોષિત બાળકોને પૂરતું પોષણ અપાવવા માટે શરૂ કરેલી વિવિધ યોજનાઓ અસરકારક સાબિત થઈ રહી છે.

ન્યુ ગ્લોબલ ન્યુટ્રીશન સંસ્થાના તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા રીપોર્ટ મુજબ દુનિયાભરમાં ૧૫ કરોડ કુપોષિત બાળકો છે.જેમાંથી ત્રીજા ભાગના એટલે કે ૪.૬૬ કરોડ બાળકો ભારતમાં છે. જયારે, ભારત બાદ નાઈજીરીયામાં ૧.૩૦ કરોડ, પાકિસ્તાનમાં ૧.૦૭ કરોડ કુપોષિત બાળકો છે. આ ત્રણે દેશોમાં રહેલા કુપોષિત બાળકોની સંખ્યા વિશ્વભરનાં કુપોષિત બાળકોની કુલ સંખ્યાની અડધી જેટલી થવા જાય છે જોકે, ભારતની કેન્દ્ર અને રાજય સરકારોએ લાંબા સમયથી કુપોષિત બાળકોની સમસ્યા સામે લડવા વિવિધ યોજનાઓ બનાવી છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનાં આંકડા અનુસાર વર્ષ ૨૦૦૫-૦૬ દરમિયાન ભારતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ૪૮ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જેને ઘટાડવામાં સરકારે શરૂ કરેલી વિવિધ યોજનાઓ કારગત નીવડી હતી અને એક દશકા બાદ કુપોષિત બાળકોની સંખ્યા વર્ષ ૨૦૧૫-૧૬માં ૩૮.૪ ટકા સુધી પહોચી જવા પામી હતી. ભારતીય બાળકોમાં જોવા મળતા કુપોષણ માટે મોટાભાગે ઓછી ઉંચાઈ, લાંબા સમયથી ન મળતા પોષણક્ષમ ખોરાક અને વારંવાર થતા ચેપને જવાબદાર માનવામાં આવે છે.

આ સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે કે ભારત દેશના દરેક રાજયો વૈવિધ્યસભર છે.જેની કુપોષણ માટે શું મહત્વપૂર્ણ છે. અને પ્રચલીત વલણ અલગ અલગ છે. જેથી દેશના અલગ અલગ ૬૦૪ જિલ્લાઓમાં કુપોષણની સમસ્યા ૧૨.૪ ટકાથી લઈને ૬૫.૧ ટકા વચ્ચે છે. જયારે ૨૩૯ જિલ્લાઓમાં કુપોષણની સમસ્યા ૪૦ ટકાથી વધારેના સ્તર પર છે. ભારતમાં મુખ્યત્વે ઉંચાઈ પ્રમાણે ઓછા વજન ધરાવતા કુપોષિત બાળકોની સમસ્યા વધારે છે.

ભારતમાં ઉંચાઈ પ્રમાણે ઓછુ વજન ધરાવતા કુપોષિત બાળકોની સંખ્યા ૨.૫૫ કરોડ છે. જયારે નાઈઝેરીયામાં ૦.૩૪ કરોડ અને ઈન્ડોનેશિયામાં ૦.૩૩ કરોડ આવા બાળકો છે. હકિકતમાં ઉછાળાથી વિપરીત વેડફાયેલા બાળકોની ટકાવારીમાં વધારો થયો છે. એનએફએચએસ.૪ના આંકડા અનુસાર પાંચ વર્ષથી ઓછા વંચિત બાળકોની ટકાવારી ૨૦૦૫.૦૬માં ૧૯.૮ ટકાથી વધીને ૨૦૧૫.૧૬માં ૨૧ ટકા થઈ ગઈ છે. અતિ ગરીબ બાળકોનો આંકડો પણ સમયગાળામાં ૬.૪ ટકાથી વધીને ૭.૫ ટકા થઈ ગયો છે.

સામાન્ય રીતે ખોરાકની તીવ્ર અછત અથવા રોગના કારણે પડતી મુશ્કેલી પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં વધેલા મૃત્યુદર માટે જવાબદાર છે. શહેરી કરતા ગ્રામીણ બાળકોનાં પ્રમાણમાં હજુ પણ મોટાપ્રમાણમાં રોગના કારણે પડતી મુશ્કેલીની અસર થાય છે. જો કે તેનાથી વિપરીત ભાગ્યે ચર્ચા થાય છે. ભારત એવા દેશોનાં સમુહમાં પણ સ્થાન ધરાવે છે. જેમાં દશ લાખથી વધારે વજનવાળા બાળકો છે. જેમાં ચીન, ઈન્ડોનેશિયા, ઈજીપ્ત, યુએસ, બ્રાઝીલ અને પાકિસ્તાન છે.

કુપોષણને પહોચી વળવા માતા અને માતૃત્વ સ્વાસ્થ્યને નિર્ણાયક માનવામાં આવે છે. કારણ કે બાળકમાં કુપોષણના બીજ મોટાભાગે ગર્ભાશયમાં વાવે છે. એનએફએચએસ.૪ના આંકડા અનુસાર ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં મુખ્ય ત્રણ સમસ્યાઓ છે જેમાં માતાઓમાં ખૂબજ ઓછી જોવા મળતી બાળ સંભાળ મહત્વની છે. જયારે ઝારખંડ, મેઘાલય, રાજસ્થાન અને ગુજરાત એવા રાજયો છે. જયાં ઉછાળશની સૌથી વધારે ઘટનાઓ જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.