Abtak Media Google News

૧૧ કેવીની લાઈનમાંથી તણખો ઝરતા ખેતરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

મોરબી: વાંકાનેરના ઝીકીયારી ગામેં ૧૧ કેવીની વીજ લાઈન માંથી તણખો ઝરીને ખેતર માં પડતા આઠ વીઘા જમીનમાં વાવેલા ઘઉંનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. આ અકસ્માત થી ખેડૂતની મહિનાઓની મહેનત માથે પાણી ફરી વળતા ખેડૂતને ભારે આઘાત લાગ્યો છે.

ઝીકીયારી ગામના રહેવાસી ચુનીલાલ લક્ષ્મણભાઈ વિરમગામાંએ પોતાના આઠ વીઘા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું જે પાક તૈયાર થવા પર હોય જે દરમિયાન તેના ખેતરમાં અચાનક આગ લાગતા ઘઉંનો ઉભો પાક બળીને ખાખ થયો હતો. આગ લાગ્યાની અન્ય ખેડૂતને જાણ થતા તેણે ચુનીલાલને જાણ કરી હતી તેમજ આગ ક્યાં કારણોસર લાગી તે હાલ ચોક્કસ પણે પુરવાર થઇ શક્યું નથી.પરંતુ ખેતર નજીકથી ૧૧ કેવી લાઈન પસાર થતી હોય આ લાઈનમાંથી તણખો ઝરતા આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે  ખેડૂતે આ અંગે તાલુકા પોલીસ મથકે  બનાવની જાણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.