Abtak Media Google News

બનાસકાંઠા ના દિયોદર તાલુકા ના વજેગઢ અને મોજરું ગામની સિમ માં જંગલી જાનવર આવી ચડતા લોકો માં ફફડાટ ફરલાયો છે વજેગઢ અને મોજરું ગામ ના ખેતર માં ગઈ મોડી રાત્રે જંગલી જનવરે એક ગાય નું પણ મારણ કર્યું હોવાનું લોકો એ જણાવ્યું હતું એક આધેડ ઘાયલ થયો હતો વજેગઢ ગામ ના ખેતરો માં આ જંગલી જાનવર આવી ચડતા જંગલી જાનવર ને જોવા લોકો ના ટોળે ટોળા એકઠા થયા હતા તો કેટલાક લોકો ઝાડ ઉપર પણ ચડી ગયા હતા જોકે જંગલી જાનવર ની જાણ દિયોદર વન વિભાગ આને દિયોદર પોલીસ ને કરતા વનવિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળે આવી પોહચી હતી અને જંગલી જાનવર ને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી વનવિભાગ ના અધિકારી જણાવ્યું હતું કે જંગલીજનવર ના પંજા ના નિશાન ઉપરથી આ જંગલી જાનવર દીપડો હોઈ શકે તેવું જણાવ્યું હતું તો જંગલી જાનવર ને લઈને પંથક માં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ વનવિભાગ દવરા પાંજરું મૂકી જંગલી જાનવર ને પકડવા કવાયત હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.