Abtak Media Google News

ચારા કૌભાંડના ત્રીજા કેસમાં બુધવારે લાલુપ્રસાદ યાદવ ને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. CBIની સ્પેશિયલ કોર્ટના જજ એસ.એસ.પ્રસાદે ચાઈબાસા ટ્રેઝરીમાંથી ખોટી રીતે કાઢવામાં આવેલાં 33.67 કરોડ રૂપિયા અંગે આ ફેંસલો સંભળાવ્યો છે. આ પહેલાં તેઓ દેવધર ટ્રેઝરી અને ચાઈબાસ ટ્રેઝરીના વધુ એક કેસમાં દોષિત જાહેર થયાં છે. કોર્ટે બિહારના વધુ એક પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા ને પણ દોષી જાહેર કર્યાં છે. ખાસ વાત એ છે કે દેવધર ટ્રેઝરી કેસમાં જગન્નાથ મિશ્રા પણ આરોપી હતી, પરંતુ ત્યારે તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતા. મિશ્રાને આ કેસમાં પાંચ વર્ષની સજા આપવામાં આવી છે.

કેટલાં આરોપીઓ દોષી જાહેર થયા

– આ કેસમાં 69 વર્ષના લાલુપ્રસાદ યાદવ સહિત 50 આરોપીઓને કોર્ટે દોષી જાહેર કર્યાં છે. જ્યારે કે 6 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.