Abtak Media Google News

વડીયા અને ગોંડલમાં જૂનાગઢ પોલીસના ધામા

વડીયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદસ્વામી અને ગોંડલના શ્યામસુંદર સ્વામી પર જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથક ખાતે એક મહિલાએ ફરિયાદ આપેલ છે કે વાડિયા સ્વામિનારાયણ મંદિરના આનંદસ્વામીએ મારા ઉપર દુષ્કર્મ કરેલ છે અને છરી પણ બતાવેલ છે આ સાથે મદદગારી મા ગોંડલના શ્યામસુંદર સ્વામી પણ સાથે હતા ત્યારે આ દુષ્કર્મની તપાસ અને બન્ને આરોપીઓને ધડપકડ કરવા માટે જૂનાગઢ સી ડિવિઝન ના પીએસઆઇ પી.બી.લકકડ અને તેમની ટિમ આજરોજ પ્રથમ ગોંડલ ખાતે શ્યામસુંદર સ્વામીની ધડપકડ કરવા માટે ગયેલ અને બાદમાં વડીયા સ્વામિનારાયણ મંદિર ખાતે જૂનાગઢ પોલીસ આનંદ સ્વામી કયા છે ની તેવી તપાસ અને તજવીજ કરેલ પરંતુ બંને આરોપી આજદિન સુધી પોલીસ પકડની બહાર છે જ્યારે આ અંગે જૂનાગઢ પીએસઆઇ પી.બી.લકકડ ને પૂછતાં તેમને જણાવેલ કે હાલમાં તો બન્ને આરોપીઓ ફરાર છે અમો તેની શોધ ખોલમાં ગોંડલ અને વડીયા સ્વામિનારાયણ મંદિર ખાતે ગયેલ પરંતુ અમોને આજદિન સુધી માહિતી કે આરોપી મળેલ નથી હાલ તપાસ શરૂ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.