Abtak Media Google News

મહામારીમાં રાહત આપવા ચેક અર્પણ સમયે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા પણ રહ્યા ઉપસ્થિત

કોરોનાના વાયરસને ડામવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવેલો અને દેશ પર આવી પડેલી મહામારીમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા ઉદાર હાથે અનુદાન આપવા કરેલી અપીલને પગલે શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી, કર્મચારી અને સિવિલ સ્ટાફ સહિત ૨૦૩૦ જેટલા સ્ટાફ દ્વારા ‚રૂ.૨૧.૨૫ લાખ જેટલી રકમનું દાન એકઠું થયેલું. એકઠી થયેલી રકમનો ચેક શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂ‚પાણીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા ઉપસ્થિત હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.