કાશ્મીરના પુલવામાં ફરજ બજાવતા દેશના સૈનિકો ઉપર જે ૬ આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તે ઘટનાના વિરોધમાં ભાયાવદર નગરપાલિકા દ્વારા ગઈરાત્રે શહિદ વિરોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ગતરાત્રે ભાયાવદર શહેરના સ્ટેન્ડ ચોકમાં નગરપાલિકાના પ્રમુખ રેખાબેન પટેલ, કારોબારીના ચેરમેન નયન જીવાણીની આગેવાનીમાં વેપારીઓ, ખેડુતો, યુવાનો તમામ સમાજના લોકો હાજર રહી શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ પ્રગટાવી પાકિસ્તાન મુદાબાદ, ભારત જીદાબાદના નારા લગાવ્યા હતા. બે દિવસ પહેલા આતંકીઓ દ્વારા હુમલાના ઘેરા પડઘા તાલુકાના ભાયાવદર, પાનેલી, કોલકી, ઢાંક સહિતના ગામોમાં પડયા છે. ઠેર–ઠેર પાકિસ્તાન વિરુઘ્ધ નારા લાગી રહ્યા છે. લોકોની માંગણી છેકે પાકિસ્તાન વિરુઘ્ધ યુદ્ધ જેવી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર