Abtak Media Google News

કાશ્મીરના પુલવામાં ફરજ બજાવતા દેશના સૈનિકો ઉપર જે ૬ આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તે ઘટનાના વિરોધમાં ભાયાવદર નગરપાલિકા દ્વારા ગઈરાત્રે શહિદ વિરોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ગતરાત્રે ભાયાવદર શહેરના સ્ટેન્ડ ચોકમાં નગરપાલિકાના પ્રમુખ રેખાબેન પટેલ, કારોબારીના ચેરમેન નયન જીવાણીની આગેવાનીમાં વેપારીઓ, ખેડુતો, યુવાનો તમામ સમાજના લોકો હાજર રહી શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ પ્રગટાવી પાકિસ્તાન મુદાબાદ, ભારત જીદાબાદના નારા લગાવ્યા હતા. બે દિવસ પહેલા આતંકીઓ દ્વારા હુમલાના ઘેરા પડઘા તાલુકાના ભાયાવદર, પાનેલી, કોલકી, ઢાંક સહિતના ગામોમાં પડયા છે. ઠેરઠેર પાકિસ્તાન વિરુઘ્ધ નારા લાગી રહ્યા છે. લોકોની માંગણી છેકે પાકિસ્તાન વિરુઘ્ધ યુદ્ધ જેવી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.