ભુજમાં આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને યુવાનોને જોડવાના ઉદ્દેશ સાથે ગઈકાલે યુવા જોડો અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાર્ટીના ગુજરાત અધ્યક્ષ કિશોરભાઈ દેસાઈએ દેશની યુવા પેઢી ભ્રષ્ટાચાર સામે લડત આપવા આહ્વાન આપ્યું હતું પાર્ટીના વિવિધ હોદ્દેદારોએ વર્તમાન ભાજપ સરકારમાં પ્રજાને ગેરમાર્ગે દોરતા દેશની આજની કથળેલી સ્થિતિ તેમજ લોકોની આર્થિક અધોગતિ મુદ્દે જાગૃતિ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઉપરાંત ઉપાધ્યક્ષ ભીમાભાઇ ચૌધરી , સંગઠનમંત્રી રમેશ નાભાની , જિલ્લા પ્રમુખ દતેશ ભાવસાર , ડો નેહલ વૈદ્ય પોતાના પ્રાસંગિક પ્રવચનોમાં ભાજપ અને કોંગ્રેસને જાકારો આપી અને એક નવા વિકલ્પ આપને ગુજરાતમાં મોકો આપી અને રાજ્યને નવી ઊંચાઈ લઈ જવા માટેની નીવ રાખવા યુવાનોને હાકલ કરી હતી.અને એક નવા જોશ અને જુનુનથી આગળની ચુંટણી લડવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો . પાર્ટીના રોહિત ગોર , લાલાભાઈ , રાજેશ પિંડોરિયા ,ચિંતન ઠક્કર , વનરાજસિંહ વાઘેલા , જયદીપસિંહ જાડેજા,ઇબ્રાહિમ તુર્ક , ગિરિરાજસિંહ જાડેજા , શીતલબેન ,ગોદાવરીબેન સાથે અનેક હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.
Trending
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ
- રાજકોટ રેન્જનો સપાટો : પાંચ રાજ્યમાંથી નાસ્તા ફરતા 47 ગુનેગારોને ઉપાડી લેવાયા
- એક વર્ષમાં 81.50 લાખ શ્રદ્વાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા
- BSF, CRPF, CISF, ITBP, SSB માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે આ રીતે કરો અરજી