Abtak Media Google News

ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતો અવેશ  ગનીભાઈ ઘોણીયા નામના શખ્સે ૨૦૧૪  માં  ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા હુસેનભાઈ  બચુભાઈ લોલાડીયા ના હત્યા કેશ માં સંડોવાયો હતો. ત્યાર થી આ વિસ્તારમાં લોકોતેની લુખ્ખા ગીરીથી ત્રાસી ગયા હતા. અને  ત્યારબાદ લોક ડાઉન દરમ્યાન  તમાકુ માટે પાંનબીડીની દુકાન ધારક મકબુલભાઈ ના ઘરે જઈ  તેમની ઉપર  ફાયરીંગ  કર્યું હતું .

જ્યારે છેલ્લા બે વર્ષથી અવેશ ચોટીલા ના ઘાંચીવાડમાં  કોમન પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતો હતો. ઘાંચીવાડ વિસ્તારના  અનેક લોકોએ આ શખ્સ વિરુદ્ધ અરજીઓ કરતા તંત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું  જયારે ચોટીલામાં આવા અનેક ગેર કાયદેસર દબાણો છે તે તંત્રની નજરમાં ક્યારે આવસે તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.