Abtak Media Google News

હજી તો ગઈ કાલે જ ભારતના વાયુસેનાના પાયલટ અભિનંદનને પાકિસ્તાન તરફથી છોડવામાં આવ્યો છે ત્યારે પાકે. ફરી એક વાર નાપાક હરકત કરી છે. પાકિસ્તાન તરફથી વારંવાર ભારતીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે શનિવારે વહેલી સવારે 3:00 વાગ્યાની આસપાસ પુલવામાના ત્રાલ સેક્ટરનાં અમલાર વિસ્તારમાં બોમ્બ ધડાકો થયો હતો. આ બ્લાસ્ટમાં એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હોવાની જાણકારી મળે છે.

સૂત્રો પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, આ વિસ્ફોટ EID બ્લાસ્ટ હોવાની જાણકારી મળી છે. જે પેટ્રોલિંગ માટે તહેનાત સુરક્ષાબળોને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. અત્યારે તો આ વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર રોકી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.