Abtak Media Google News

શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે નવનિયુકતી પામેલા સંકલનના નિષ્ણાંત મહેશ રાજપૂત અબતકની શુભેચ્છા મુલાકાતે

વિધાનસભાની ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતની શહેર જિલ્લાનાં કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જે અંગે વધુ વિગત આપવા કોંગ્રેસ અગ્રણીઓએ નઅબતકથની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

નવનિયુકત શહેર જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું કે શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગૂ‚ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સામે ૬૯ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી શહેર કોંગ્રેસની કામગીરીમાં કોઈ અચૂક ન થાય તે માટે હાઈ કમાન્ડે તેઓને શહેર-જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનું પદ સોંપ્યું છે.

વધુમાં મહેશ રાજપૂતે કહ્યું કે તેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગૂ‚ સાથે બેઠક કરી પાર્ટીના સંગઠનને વધુ મજબુત બનાવવાનાં પગલા લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ રાજપૂત રાજકારણ ઉપરાંત સામાજીક ક્ષેત્રે પણ કાર્યરત છે. તેઓએ ૧૯૯૮માં કચ્છ, ૨૦૦૫માં સુરેન્દ્રનગર અને ૨૦૦૬માં સુરતમાં આવેલી પૂરની સ્થિતિમાં સેવાકાર્ય કર્યું હતુ. વધુમાં ૨૦૦૧નાં ભૂકંપમાં પણ તેઓએ મહત્વની કામગીરી બજાવી હતી. તેઓ કારડીયા રાજપૂત સેવા સમાજમાં પ્રમુખ અને વીનાયક એજયુ. ટ્રસ્ટમાં પ્રમુખ અને રાજકોટ મ્યુ. સ્ટાફ યુનિયનમાં ઉપપ્રમુખ પદની જવાબદારી સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.