Abtak Media Google News

‘ધડક’ની સફળતા બાદ બોનીકપુરનો પરિવાર એક સાથે

શ્રીદેવી અને બોનીકપુરની દિકરી જાહન્વી કપુરની પ્રથમ ફિલ્મ ‘ધડક’ રીલીઝ થઈ અને આ ફિલ્મે બોકસ ઓફિસ પર ધુમ મચાવી છે તો બીજી તરફ જાહન્વી કપુર શ્રીદેવીનો પડછાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ફિલ્મની રાહ જોવાતી હતી અને ફિલ્મ થિયેટરમાં આવતા જ જાહન્વી પર તેના પ્રિયજનો, ફેન્સ અને સાથે સાથે પરિવારની પણ ખુબ જ શુભેચ્છાઓ મળી રહી છે. જાહન્વીની ફિલ્મ સફળ જતા તેના પરીવારમાં પણ તેનું કદ વધી ગયું છે.

ઉલ્લેખનીય છે કે શ્રીદેવી અને બોની કપુરના લગ્નથી અર્જુનકપુર અને અનસુલા થોડા નારાજ હતા. જોકે શ્રીદેવીના આકસ્મિક નિધન બાદ તેમના સંબંધો થોડા ટુફાળા બન્યા છે તો બીજી તરફ જાહન્વીની ફિલ્મ ‘ધડક’ને બોકસ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યા બાદ પરિવારના સદસ્યો સાથે આવી ગયા છે. બોની કપુરની પ્રથમ પત્ની મોનાના બે સંતાનો અર્જુન અને અંસુલા ૨૦૧૨માં મોનાના મૃત્યુ બાદ પિતાથી અલગ થઈ ગયા હતા જયારે બોનીકપુર અને શ્રીદેવીની બે દિકરીઓ જાહન્વી અનેક ખુશી બોનીકપુરની સાથે જ રહી છે. જોકે શ્રીદેવીના નિધન બાદ બોનીકપુરનો પરીવાર ફરી સાથે રહેવા લાગ્યો છે તેવું સુત્રો જણાવે છે.

પરિવારને એક કરવામાં અર્જુન કપુરનો સૌથી વધુ ફાળો છે તેવું કહેતા બોનીકપુરે જણાવ્યું કે, અર્જુન મારા ચાર સંતાનોમાં સૌથી મોટો છે. શ્રીદેવીના નિધન બાદ તે દુબઈમાં સતત મારી પડખે હતો અને મુંબઈ આવ્યા બાદ તેણે જાહન્વી અને ખુશીને પણ સંભાળી લીધા. જયારે એક પિતાને તેના પુત્રની જ‚ર હોય ત્યારે તે તેની સાથે જ હોય તેવું તેનું માનવું છે. અર્જુને તાજેતરમાં જ એક ટવીટ કર્યું હતું કે, મારા માટે અસુલા અને જાહન્વી કે ખુશીમાં કોઈ ફરક નથી તેમને જયારે પણ મારી જ‚ર હોય ત્યારે હું તેમની સાથે જ હોઉ છું ભલે અમારી માતાઓ અલગ હોય પણ અમારામાં એક જ પિતાનું ખુન છે. ઉલ્લેખનીય છે કે જાહન્વીની ફિલ્મ ‘ધડક’ની સફળતા બાદ હવે બોની કપુર તેના ચારેય સંતાનોને હંમેશા સાથે જ રાખવા માંગે છે અને આગામી સમયમાં જાહન્વી સાથે પણ તે એક ફિલ્મ બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.