Abtak Media Google News

પર વર્ષ પહેલા ૨૦ એકર જમીનનો વેંચાણ દસ્તાવેજ કરનારના વારસોની અપીલ ફગાવી દેતી કોર્ટે

કુદરતી સિઘ્ધાંત વિરૂઘ્ધ અને કાયદાનું ખોટું અર્થધટન કરી અસત્યનો આશરો લેનારને કાનુની કાર્યવાહીમાં લપડાક

બોટાદ જમીનોના ભાવ આસમાને પહોચતા અનેક નિતનવા અજીબ કિસ્સાઓ ઘ્યાને આવતા હોય છે. આવો જ એક કિસ્સો બોટાદ જિલ્લામાં બનવા પામેલ છે. અલમપુર ગામમાં આશરે ર૦ એક સોનાની લગડી જેવી ખેતીની જમીન ભગવાનભાઇ દલુભાઇ પ્રજાપતિએ ૧૯૬૮ની સાલમાં કાયદેસર રીતે વેચાણ દસ્તાવેજ કરીને અઘાટ- વેચાણથી આ જમીન ખરીદી કરી હતી. ત્યારબાદ રેવન્યુ રેકોર્ડમાં તમામ પડાવવાના હેતુથી પચાવી પાડવાનું પ્રલોભન લાલચ ઉભી થતા. જમીન વેચનાર ગુજરી ગયા પછી તેઓશ્રીના પક્ષે સને ૨૦૧૨માં અર્થાત આશરે ૪૪ વર્ષ પાવર ઓફ એટની હોલ્ડર મારફત નામદાર સીવીલ કોર્ટ- અમદાવા મામલતદાર-રાણપુર, નાયર કલેકટર -બરવાળા, કલેકટર-બોટાદ, નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ વિગેરે કોર્ટસ સમક્ષ વિભિન્ન કેસો દાખલ કરવામાં આવેલ હતા. સીનીયર પ્રિન્સીપાલ સીવીલ  કોર્ટ અમદાવાદ ખાતે  આ આશરે ર૦ એકર અર્થાત ૫૦ વિઘા જમીનનો, આજથી પર વર્ષ પહેલાનાં કાયદેસર રીતે થયેલ વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે દાવો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે ચાલવાપાત્ર ન થતાં, પાવર હોલ્ડર ત્યારબાદ તેની ઉપરની એપેલેટ કોર્ટ અને છેલ્લે હાઇકોર્ટ  સુધી કાનુની જંગ લડયા હતા. આ દરમ્યાન બોટાદ નવો જિલ્લો અમલી બનતાં આ દાવા કેસની હકુમત અમદાવાદ ખાતેથી નામદાર પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટ બોટાદ ખાતે ટ્રાન્સફર થતાં હાઇકોર્ટના ડાયરેકશન મુજબ ડીસ્ટ્રીકટ કોર્ટ બોટાદ ખાતે સદરહું અપીલ દાવા કેસની કાનુની કાર્યવાહી ચલાવવામાં આવી હતી.

આ અપીલ દાવા કેસમાં આશરે ર૦ એકર જમીન ખરીદનાર ભગવાનભાઇ દલુભાઇ પ્રજાપતિના કાયદેસરના વારસદારો એવા કુલ ૧૩ સામાવાળા પક્ષના પરિવારજનોએ અમદાવાદના એડવોકેટ ડો. ડી.બી. દેસાઇ ડીસ્ટ્રીકટ કોર્ટ બોટાદ સમક્ષ જમીન કેસના વિભિન્ન પાસાઓની કાયદાકીય છણાવટ કરીને તમામ આધાર પુરાવાઓ સાથે રજુઆત સહ-દલીલ કરી હતી કે ૧૯૬૮નો વેચાણ દસ્તાવેજ સને ૨૦૧૨માં અર્થાત આશરે ૪૪ વર્ષ પછી ખોટો છે. એવું માનીને પડકારવો એ પ્રથમ તો કાયદાની જોગવાઇઓ અને કુદરતી ન્યાયના સિઘ્ધાતો વિરૂઘ્ધ છે. ડી.એસ.પી.ની કચેરી મારફતે આ અંગે બન્ને પક્ષકારોના પોલીસ સમક્ષના નિવેદનો પણ નોંધવામાં આવેલ છે. અમારી વિરૂઘ્ધ કોઇ ફોજદારી ગુન્હો પણ નોંધાયેલ નથી. સદરહું જમીન એ વડીલોપાર્જીત નહીં, પણ સ્વ. પાર્જીત પ્રકારની છે. આથી જો અપીલકર્તા વાદીને અન્યાય થયો હોય તો પ્રથમ ઇન્ડિયન સકસેશન એકટ- ૧૯૨૫ ની જોગવાઇ ઓ મુજબ તેમણે વારસાઇ કરાવવી જોઇએ અને ત્યારબાદ ગમે તે દાદ અર્થે નામદાર કોર્ટ સમક્ષ આપવું જોઇએ પરંતુ હાલના અપીલકર્તા વાદી સરકારના કોઇપણ રેવન્યુ રેકર્ડ પર ન હોવાથી સદરહુ જમીન અંગે કોઇ જ કાયદાકીય અધિકાર ધરાવતા નથી. વળી, અપીલ દાખલ કરનાર પાવર હોલ્ડરને અપાયેલ અધિકારએ પણ પાવર ઓફ એટર્ની એકટ-૧૮૮૨ ની જોગવાઇ મુજબ પણ થયેલ નથી. જમીન વેચનાર હયાત હતા ત્યાં સુધીમાં જો વેચાણ દસ્તાવેજ ખોટો હોય તો તેમણે કોઇ જ લીવલ કાર્યવાહી કરવી જોઇતી હતી જે પણ કરેલ નહોતી

Yi

સદર જમીનમાં કોઇ શરત ભંગ થયો હોય તો એ અંગે ગણોતધારા એકટની કલમ ૪૩, ૮૪-સી કે અન્ય જોગવાઇઓ મુજબની કાર્યવાહી સરકાર પોતાનો સુઓમોટો પાવર વાપરીને કરી શકે છે. પરંતુ હાલના અપીલકર્તા વાદીનો એ અંગે કોઇપણ દાદ માંગવાનો અધિકાર જ નથી. એડવોકેટ ગુજરાત સરકારના તા. ૧૯-૧૦-૨૦૦૦ ના સરકારી ઠરાવ મુજબની પટની રકમ નાયબ કલેકટર, ધોળકા સમક્ષ પણ અમોના અસીલે ભરપાઇ કરેલ છે. છતાં પણ અપીલકર્તાએ અનેક વિધ અસત્યોનો આશરે લઇ અને કાયદાકીય જોગવાઇઓનું ખોટું અર્થઘટન કરી, માત્ર પોતાનો સ્વાર્થ સાધવા અને અમોના અસીલને હેરાન-પરેશાન કરીને ખર્ચના ઉડા ખાડામાં ઉતારી દેવા જાણી બુઝીને ગુન્હાહિત કૃત્ય કરેલ છે. જેથી માલા ફાઇડ ઇન્ટેશનથી સરદ અપીલ દાવા  કેસ આપ નામદાર કોર્ટે સમક્ષ દાખલ કરેલ છે વિગેરે વિગેરે

આ માટે એડવોકેટ ડો. ડી.બી. દેસાઇએ સુપ્રીમ કોર્ટ નામદાર ગુજરાત હાઇકોર્ટ અને વિભીન્ન રાજયોની હાઇકોર્ટસના કુલ ૧ર જજમેન્ટસનો આધાર લઇને ભારપૂર્વક સહ વિનમ્રતાપૂર્વક દલીલ કરી હતી. અંતે જમીન વેચનાર અને ખરીદનાર એમ બન્ને પક્ષકારોની વિગતવાર રજુઆતો ઘ્યાને લેતા, નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટ બોટાદ મારફતે જમીન ખરીદનાર પક્ષના એડવોકેટ ડો. ડી.બી. દેસાઇને રજુઆતો અંગેની અપીલકર્તા વાદીનો અપીલ કેસ રદ કરવા હુકમ કરીને કાયદેસર વેચાણ દસ્તાવેજને રદ કરવા અંગેની અપીલ કર્તા વાદીનો અપીલ કેસ રદ કરવા હુકમ કરીને સીમાચિહ્નન રુપ ચુકાદો જાહેર કરેલ છે સદર ચુકાદાથી બોટાદ જીલ્લાના અલમપુર ગામના જમીન ખરીદનાર પ્રજાપતિ કુટુંબના તમામ પરિવારજનોમાં હર્ષ અને આનંદની લાગણી પ્રસરી ગયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.