Abtak Media Google News

રાજ્યપાલશ્રી ઓમ પ્રકાશ કોહલીએ જણાવ્યું છે કે સહિષ્ણુતા એ હિન્દુ ધર્મનો મુખ્ય ગુણ છે અને વૈશ્વિક શાંતિ, ભાઇચાર તથા સુસંવાદિતા માટે તમામ ધર્મના લોકોએ સાથે મળીને કાર્ય કરવું જોઇએ.

24 6 2014 O.p.kohliji At Rajkot 5અહીં યાજ્ઞિક રોડ સ્થિત રામકૃષ્ણ આશ્રમમાં યોજાયેલા ઇન્ટર ફેઇથ હાર્મની ફોર ગ્લોબલ સિવિલાઇઝેશન સેમિનારમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતા રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે સવાસો વર્ષ પહેલા વિવેકાનંદ સ્વામીએ પશ્ચિમી દેશોને ભારતીય સંસ્કૃતિ, વેદાંત અને હિન્દુ ધર્મના મૂળભૂત વિચારોથી સારી રીતે અવગત કરાવ્યા હતા. ૧૯મી સદીમાં તેમણે વિવિધ દેશોમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હતી. માત્ર હિન્દુ ધર્મ જ નહીં, પણ વિશ્વના તમામ ધર્મ તથા સંપ્રાદયોનું મહત્વ તે સમજ્યા હતા. વૈશ્વિક શાંતિ, સહજીવન માટે તમામ ધર્મ વચ્ચે સુસંવાદિતા અને ભાઇચારાની જરૂર છે.

24 6 2014 O.p.kohliji At Rajkot 2

શ્રી કોહલીએ જણાવ્યું કે, સ્વામિ વિવેકાનંદજીએ નવા ભારતનું સ્વપ્ન પણ જોયું હતું અને તેને સાકાર કરવા માટે યુવાશક્તિને પારખી હતી. યુવાનોને દેશ તથા માનવમાત્રના ઉત્થાન માટે કામ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે તરછોડાયેલા લોકોની પણ સેવા કરી હતી.

24 6 2014 O.p.kohliji At Rajkot 9

તેમણે સ્વામિ વિવેકાનંદજીએ કરેલા કાર્યોની યાદ અપાવી હતી અને કહ્યું કે ભારતના સાંસ્કૃતિક વારસો તથા વેદાંત પ્રત્યે લોકોમાં દૃઢ આસ્થા અને વિશ્વાસ રોપ્યા હતા. સનાતન ધર્મ, સ્વજાગૃતિ તથા યોગનું મહાત્મ્ય તેમણે આપણને સારી રીતે સમજાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ આજના આધુનિક વિજ્ઞાનના યુગમાં વૈશ્વિક નૈતિક્તાની જરૂરિયાત પણ વર્ણવી હતી.

24 6 2014 O.p.kohliji At Rajkot 7

રાજ્યપાલશ્રીએ આ સેમિનાર યોજવા બદલ રાજકોટના રામકૃષ્ણ આશ્રમને અભિનંદન પાઠવ્યા હતા.

24 6 2014 O.p.kohliji At Rajkot 10

રામકૃષ્ણ આશ્રમના ઉપપ્રમુખ શ્રી ગૌતમાનંદજી મહારાજે પ્રાસંગિક પ્રવચનમાં સમગ્ર વિશ્વમાં રહેલી વિવિધમાં એકતા, માનવમાત્ર સમાનતાનો લોકોએ સ્વીકાર કરવો પડશે. આત્મિક શુદ્ધિ, સહિષ્ણુતા, સેવાભાવ એ તમામ ધર્મોનો સાર છે.

24 6 2014 O.p.kohliji At Rajkot 3

ગ્લોબલ પાર્લિઆમેન્ટ ઓફ રિલિઝીયનના ટ્રસ્ટી શ્રી ભદ્રાબેન શાહ અને એમ્બેસેડર શ્રી જયેશભાઇ શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

શ્રી નિખિલેશ્વરાનંદજી સ્વામીએ રામકૃષ્ણ આશ્રમની પ્રવૃત્તિનો પરિચય આપ્યો હતો અને આ સેમિનારનો હેતું સમજાવ્યો હતો. રાજ્યપાલશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

24 6 2014 O.p.kohliji At Rajkot 12

આ વેળાએ વિવિધ ધર્મના પ્રતિનિધિઓ, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, મ્યુનિપસિપલ કમિશનર શ્રી બી. એન. પાની, કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા સહિત જિજ્ઞાસુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

24 6 2014 O.p.kohliji At Rajkot 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.