Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લામાં બહારના રાજ્ય કે જિલ્લામાંથી આવેલ ૪૭૨૦૮ લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં ૨૯૧૨૬ લોકોએ હોમ કોરોન્ટાઈન પૂર્ણ કરેલ છે. જેમાં તાલુકા મુજબ વેરાવળમાં ૧૨૨૨, સુત્રાપાડામાં ૧૦૭૪, તાલાળામાં ૫૩૮૬, કોડીનારમાં ૫૬૩૧, ઉનામાં ૧૩૦૧૫ અને ગીરગઢડામાં ૨૭૯૮ લોકોએ હોમ કોરોન્ટાઈન પૂર્ણ કરેલ છે.

જ્યારે જિલ્લામાં ૧૮૦૮૨ લોકો હોમ કોરોન્ટાઈન હેઠળ છે. વેરાવળ તાલુકામાં ૧૦૮૨, સુત્રાપાડા તાલુકામાં ૬૩૨, તાલાળા તાલુકામાં ૩૬૬૧, કોડીનાર તાલુકામાં ૫૯૫, ઉના તાલુકામાં ૫૬૯૪, ગીરગઢડા તાલુકામાં ૬૪૧૦ લોકો આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ હોમ કોરોન્ટાઈનમાં છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતાની યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.