Abtak Media Google News

ત્રિકોણબાગથી પગપાળા રેલી યોજી ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરાશે: જયુબિલી ગાર્ડનમાં સમુહ ભોજનનું આયોજન

સફાઈ કામદાર જાગૃતિ મંડળ દ્વારા આગામી ૨ ઓકટોબરના રોજ ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રિકોણબાગથી પગપાળા રેલી યોજી ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવશે આ ઉપરાંત જયુબેલી ગાર્ડન ખાતે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સફાઈ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઈ બારૈયા, સહમંત્રી અતુલભાઈ મીલા, કાર્યાલય મંત્રી અશોક બારૈયા, યુવા જાગૃતિ મંડળના પ્રમુખ ભરત સોલંકી, ઉપપ્રમુખ નિલેશ પરમાર, મંત્રી અજય મેરાણ, રાજુ વાઘેલા, સાગર વાઘેલા, પ્રકાશ ઘાવરી, ધનસુખ વાઘેલા, પરેશ રાઠોડ, અશ્ર્વિન વાણીયા અને જયોતીબેન વાઘેલાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓના જણાવ્યા પ્રમાણે ૨ ઓકટોબરના રોજ ગાંધી જન્મજયંતી નિમિતે સવારે ૧૧:૦૦ કલાકે ત્રિકોણબાગથી પગપાળા રેલી યોજવામાં આવશે ત્યારબાદ જયુબેલી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવશે. બાદમાં બપોરે ૧૨:૩૦ કલાકે જયુબેલી ગાર્ડન ખાતે સમુહ ભોજન યોજાશે. આ તકે મોટી સંખ્યામાં મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.