Abtak Media Google News

મૃતક કોણ? કયાં કારણોસર હત્યા કરાય? સહિતના પ્રશ્ર્નો ઉકેલવા પોલીસમાટે પડકાર

ગાંધીધામ શહેરના રેલ્વે સ્ટેશનમાં રેલ્વે યાર્ડમાં આવેલ ગુડઝ સાઈડમાં કોઈ અજ્ઞાત શખ્સોએ યુવાન ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી મોતને ઘાટ ઉતારતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હત્યાનો બનાવ ગાંધીધામ રેલ્વે યાર્ડમાં ગુડઝ સાઈડે આવેલ હનુમાનજી મંદિર નજીક બનવા પામ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સોએ આશરે ત્રીસેક વર્ષના રાજુભાઈ નામના યુવાન ઉપર કોઈ પણ કારણોસર તિક્ષ્ણ હથિયાર વડે ઉપરા છાપરી છ થી સાત જેટલા જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

હત્યાના બનાવની જાણ ગાંધીધામ રેલ્વે પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશનું પીએમ થવા માટે હોસ્પિટલ મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.મૃતક કોણ અને કયાનો છે તેમજ તેની હત્યા કરનાર શખ્સો કોણ અને શા માટે તેની હત્યા કરી હશે તે જાણવા ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.