Abtak Media Google News

હરિવંદના એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિવંદના કોલેજના સ્થાપક-સંચાલક મોવડી ડો.મહેશભાઈ ચૌહાણ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિતે શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના સહયોગથી તાજેતરમાં રકતદાન શિબિરનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હતું.

રકતદાન શિબિરમાં શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનયભાઈ જસાણીના સહયોગથી પંડિત દિનદયાળ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત દર્દીઓને મદદરૂપ થવા રકતદાન શિબિરનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હતું.

આ રકતદાન શિબિર ઉપરાંત ગાંધી વિચારધારાની અખંડ જયોત વિદ્યાર્થીઓમાં પ્રજવલીત રહે તેવા ઉમદા હેતુસર હરિવંદના કોલેજની વિદ્યાર્થીનીઓને ગાંધી મ્યુઝિયમની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.

ગાંધી નિર્વાણદિન નિમિતે સંસ્થાના સ્થાપક-સંચાલક મોવડી ડો.મહેશભાઈ ચૌહાણ તથા યુવા કેમ્પસ ડાયરેકટર સર્વેશ્વરભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ અનોખા રકતદાન સેવાયજ્ઞમાં અઘ્યાપકો તથા વિદ્યાર્થીઓને સાંકળવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.