Abtak Media Google News

વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ ખાતે આયોજન

રાજકોટના યુથ ધ નેશન ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક કલાસીસ શ‚ કરવા આયોજન કરાયું છે. ધો.૧૦ તથા ૧૨ પાસ અવા નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે ફ્રી કલાસીસ અને ધો.૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડાયરેકટ પરિક્ષા આપવા માંગતા હોય તે વિદ્યાર્થી માટે ફ્રી કલાસીસ યુથ ધન નેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વૃંદાવન સોસાયટી કાલાવડ રોડ રાજકોટમાં ખોલવામાં આવેલ છે. વધુમાં વધુ વિદ્યાર્થી લાભ લઈ શકે એ માટે દરેક વિદ્યાર્થીએ પોતાનું રજીસ્ટ્રેશન મો.નં. ૬૩૫૫૨૫૧૨૧૨ ઉપર કરાવી લેવા અબતકની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતુ.

યુથ ધ નેશન ફાઉન્ડેશન સંસ્થાના રત્નભાઈ, રાજભાઈ, કેતનભાઈ સંઘવી, મગનભાઈ એ વધુમાં જણાવ્યું હતુ કે રાજકોટની દરેક એરીયાવાઈઝ ઝુપડપટ્ટીમાં રહેતા નાના બાળકોને પણ શનિ-રવિ ફ્રી શિક્ષણ આપવામાં આવશે.આત્મહત્યા કરવનું વિચારતા વિદ્યાર્થીઓએ એકવાર ખાસ મુલાકાત લેવી અનુરોધ કરાયો હતો. ધો.૧૦ જુલાઈમાં પરિક્ષા આપવા માંગતા વિદ્યાર્થી માટે ખાસ બેંચ શ કરાશે તેમ સંચાલક રાજભાઈ એ. જણાવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.