Abtak Media Google News

સૌરાષ્ટ્રનો રવિવાર રકતરંજીત બન્યો:રાજકોટના વિપ્ર પ્રૌઢની મિલકતના પ્રશ્ર્ને અને આડા સંબંધના કારણે યુવાનની પોરબંદરમાં હત્યા

સુરેન્દ્રનગરમાં વ્યાજની ઉઘરાણી કરી પાંચ શખ્સોએ પાઇપથી માર મારી મોતને ઘાટ ઉતાર્યો

ભાવનગરમાં જુની અદાવતના કારણે બુટલેગરનું શખ્સોએ ઢીમઢાળી દીધું

સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ૪૫ ડીગ્રી સુધી પહોચતા ક્રાઇમગ્રાફ પણ ઉચકાયો હોય તેમ સામાન્ય બાબતમાં લોકો હત્યા કરવા સુધી ઉશ્કેરાતા હોય તેમ પોરબંદર, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં ચાર હત્યા થયા સૌરાષ્ટ્રમાં રવિવાર રકતરંજીત બન્યો છે.

પોરબંદરમાં આડાસંબંધ અને મિલકતના પ્રશ્ર્ને બે યુવાનની, ભાવનગરમાં જૂની અદાવતના કારણે બુટલેગર અને સુરેન્દ્રનગરમાં વ્યાજના ધંધાર્થીઓએ પઠાણી ઉઘરાણી કરી યુવાનનું ઢીમઢાળી દીધાનું પોલીસમાં નોંધાયું છે.

પોરબંદરની જૂની દિવાદાંડી પાસે રહેતા ભાવિન ડાભી નામના યુવકની તેના પિતરાઇની અગાશી પરથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ભાવિનના પિતા વિનોદભાઇ ડાભીની કરેલી પૂછપરછમાં ભાવિનની પત્ની ભાવિશા અને પિતરાઇ નિરજ ડાભી વચ્ચે અનૈતિક સંબંધ હોવા અંગે શંકા વ્યક્ત કરી હત્યા થયાનું જણાવ્યું હતું.

પોલીસે નિરજ ડાભી અને ભાવિશા ડાભીના મોબાઇલની કોલ ડીટેઇલ મેળવી કરાયેલી પૂછપરછમાં બંને વચ્ચે આડા સંબંધ હોવાના કારણે ભાવિન ડાભીની હત્યા કર્યાની કબુલાત આપતા પોલીસે બંને પ્રેમી યુગલની ધરપકડ કરી છે.

રાજકોટ એસટી વર્કસ સોપ પાસે ગીતાનગરમાં રહેતા હિતેશભાઇ યશવંતભાઇ જોષી નામના ૫૫ વર્ષના વિપ્ર પ્રૌઢની હત્યા કરાયેલી લાશ પથ્થરની ખાણમાંથી મળી આવતા જામનગર મેડિલક કોલેજમાં પોસ્ટમોર્ટમ કરાતા તેની હત્યા થયાનું બહાર આવ્યું છે.

બ્રહ્મસમાજના આગેવાનના ભાઇ હિતેશભાઇ જોષીની હત્યા દેરાણી જ્યોતી પુત્રી વિભૂતિએ પ્રથમ પત્નીનો પુત્ર રવિ, પ્રથમ પત્નીની પુત્રી કૃપાએ માર મારી હત્યા કરી લાશને પથ્થરની ખાણમાં ફેંકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. રાજકોટથી હિતેષ જોષી તેમની પત્ની હીનાબેન અને માતા ચંદ્રીકાબેન પોરબંદરની મિલકત અંગે જામનગર ગયા હતા અને ત્યાંથી પોરબંદર ખાતે બેન્કનું કામ પતાવી છાયા વિસ્તારમાં આવેલા મકાને ગયા ત્યારે મિલકતના પ્રશ્ર્ન વકીલને ત્યાં ચર્ચા કરવા જવાના મુદે થયેલા ઝઘડાના કરાણે હત્યા થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારના નામચીન બુટલેગર નિરવ વેગડ ઉર્ફે બાવકો નામના શખ્સની જૂની અદાવતના કારણે રણજીતસિંહ મનુભા ગોહિલ નામના શખ્સે છરી મારી હત્યા કર્યાની વિમલ વેગડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નિરવ વેગડ અને રણજીતસિંહ ગોહિલ વચ્ચે અદાવત ચાલતી હોવાના કારણે હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

સુરેન્દ્રનગરમાં શાળા નંબર ૧૫ પાસે રહેતા દાઉદ ઇબ્રાહીમ ભાગભરા નામના યુવાન પર છરી, પાઇપ અને લાકડીથી માર મારી ઇકબાલ જામ, દાઉદ જામ, અલ્તાફ ભટ્ટી, ઇમરાન જામ અને જુસબ ઉર્ફે જુસીયાએ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

મૃતક દાઉદ ભાગભરા મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. છ માસ પહેલાં દાઉદ જામ પાસેથી રૂ.૨૦ હજાર વ્યાજે લીધા હતા તેનું વ્યાજ ચુકવી ન શકતા તેના પર હુમલો કરી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.