Abtak Media Google News

સૌરાષ્ટ્રના પાટનગરમાં વિકાસને ‘ગાંડો’ કરતા રૂપાણી

રાજકોટ શહેરમાં રૈયારોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ ખાતે અંડરબ્રીજ, કોઠારિયા વાવડી પાણી પુરવઠા યોજના સહિતના રૂપિયા ૧૩૨.૨૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂપિયા ૨૩૯ કરોડના બે ફલાય ઓવર બ્રીજ મળી કુલ રૂપિયા ૩૦૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત

રૂ. ૫૬.૫૮ કરોડના ખર્ચે નિર્માણી થયેલ આવાસ યોજનાના ૪૧૬ આવાસોનો ડ્રો: પંચનાથ મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલનો શુભારંભ

મ.ન.પા. અને  રૂડાના રૂપિયા ૪૮૯ કરોડના અને વિવિધ વિભાગોના રૂપિયા ૮૯ કરોડ મળી કુલ રૂપિયા ૫૭૯ કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ

અંગ્રેજોએ રાજકોટમાં જ્યારથી કોઠી નાખી ત્યારથી રાજકોટના વિકાસનો પાયો નંખાયો હતો. આજે પણ સૌરાષ્ટ્રભરના નાના- મોટા સેન્ટરોમાંથી મેડિકલ, કારકિર્દી કે વ્યવસાયલક્ષી મુદાઓ ઉપર ૨ કરોડથી વધુ લોકોનું ભારણ રાજકોટ ઉપર છે. રાજકોટનો વિકાસ સૌરાષ્ટ્રને સીધી રીતે અસર કરતો હોય એટલે જ સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને ધ્યાને રાખી રાજકોટને સરકાર દ્વારા એઇમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, અનેકવિધ ફ્લાય ઓવર સહિતના પ્રોજેકટ મળ્યા છે. આમ સૌરાષ્ટ્રનો ખરા અર્થમાં વિકાસ કરવા ગુજરાતના નાથે રાજકોટ ઉપર ચાર હાથ મુક્યાં છે.

3S8A0622

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ વિકાસની બાબતમાં ઝડપભેર આગળ વધી રહયું છે. રાજકોટને વિકાસના પથ ઉપર અગ્રેસર બનાવવા મુખ્યમંત્રીના હસ્તે આજે અંદાજિત રૂપિયા ૫૭૯ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત – લોકાર્પણ થયું છે. રાજકોટ ઓન ફાસ્ટટ્રેક તરીકે આગળ વધી રહેલા રાજકોટ શહેરને ૨૦૨૧ના વર્ષના પ્રારંભે મહાનગરપાલિકા – રૂડા દ્વારા આયોજીત કાર્યક્રમના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂપિયા ૪૮૯ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળી છે. રાજકોટ મહાનગરમાં કોઠારીયા ચોકડીથી આગળ તિરૂપતિ હેડવર્કસ ખાતે મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી રાજકોટ મહાનગર પાલિકા- રૂડા પ્રેરીત  રૂા. ૩૦૦ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂા.૧૩૨ કરોડના કામોનું લોકાર્પણ કરાયુ હતું. જ્યારે રૂપિયા ૫૬.૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના ૪૧૬ આવાસોનો ડ્રો પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા ૮૯ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

Img 20210121 Wa0017

રાજકોટ શહેરમાં  ખાતમુહુર્ત – લોકાપર્ણ થયેલ વિકાસ કાર્યોમાં રૈયા રોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ પાસે રૂપિયા ૨૫.૫૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અંડરબ્રીજ, અમૃત યોજના અંતર્ગત કોઠારીયા વાવડી વિસ્તારમાં પાણીની સુવિધા માટે રૂપિયા ૧૭.૧૩ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ પંપહાઉસના કામો અને રૂપિયા ૮૨.૫૨ કરોડના ખર્ચે હાથ ધરાયેલા ડી.આઇ.પાઇપ લાઇનના કામો તેમજ રૂપિયા ૫.૯૨ કરોડના મશીનરીના કામો અને રૂપિયા ૭૦ લાખના ખર્ચે આઇ.ટી.એમ.એસ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ બસ સ્ટોપનો સમાવેશ થાય છે.

રાજકોટને ટ્રાફીકની સમસ્યાથી મુક્ત કરવા રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત કાલાવડ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ જંકશન, કે.કે.વી. ચોક પર તથા જડુસ ચોકમાં નિર્માણ થનાર ફોરલેન ફલાય બ્રીજનું રૂપિયા ૧૫૮.૦૫ કરોડના ખર્ચે અને રૂપિયા ૮૧.૩૪ કરોડના ખર્ચે નાના મવા ચોક અને રામદેવપીર ચોકમાં હાથ ધરાનાર ફોરલેન બ્રીજનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત કુલ રૂપિયા ૧૧.૦૮ કરોડના ખર્ચે રોડ તેમજ ડ્રેનેજ લાઇનના ૮ કામો તેમજ રૂપિયા ૩.૨૦ કરોડના ખર્ચના બ્લોકના પેવીંગ ૧૭ કામો અને ૮૩ લાખની કિંમતના ૨ કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામો મળી કુલ રૂપિયા ૨૫૪.૫૦ કરોડના ૨૯ જેટલા કામોનું ખાત મુહૂર્ત તેમજ રૂડા દ્વારા વિવિધ સ્થળોએ રીંગ રોડ, ડી.પી.રોડ અને બ્રીજના રૂપિયા ૪૬.૧૯ કરોડના કામોનું મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતું. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા લોકોને ઘરનું ઘર મળે તેવી સરકારની યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂા. ૫૬.૫૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૪૧૬ આવાસનો ડ્રો મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વિસ્તારોમાં ૮૯.૬૨ કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાપર્ણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું.

3S8A0598

જેમાં ગોંડલ નગરપાલિકાના રૂપિયા ૧૧.૫૧ કરોડના રેલ્વે ઓવરબ્રીજ, જસદણ નગરપાલિકાના રૂપિયા ૫૭.૩૬ લાખના રસ્તાના કામો અને ઉપલેટા આઇ.ટી.આઇ.ના રૂપિયા ૮.૨૭ કરોડના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત  ઉર્જા અને પેટ્રોલ કેમિકલ્સ- જેટકો દ્વારા રૂપિયા ૨૧.૭૩ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનોના ૪ કામોનું લોકાર્પણ અને રૂપિયા ૪૭.૫૭ કરોડના પાંચ કામ મળી કુલ રૂપિયા ૬૮.૮૪ કરોડના કામોનું ખાતમુહુર્ત – લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહેસુલ વિભાગ દ્વારા સુચિત સોસાયટીના કુલ ૨૩૫ દાવા મંજુરીના હુકમોનું વિતરણ, ૧૦૦ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ અને જસદણ-વીછીયા તાલુકાના વિચરતી વિમુક્ત જાતીના ૧૦૦ પરિવારોને સનદ વિતરણ તેમજ ગોંડલ દેવીપૂજક સમાજના લોકોને ૧૬૬ સનદનું વિતરણ અને રાજકોટના શંકટમોચન સહાયના ૨૦ લાભાર્થીઓને સહાય હુકમનું વિતરણ પણ કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.