Abtak Media Google News

નરેન્દ્ર મોદી પરની ફીલ્મના ફિલ્માંકન પહેલા ઠાકોરજીને પ્રાર્થના

વિશ્વવિખ્યાત દ્વારકાધીશજીના ધામમાં વ્હેલી સવારે મંગળા આરતીના દર્શન કર્યા પછી જાણીતા સિને સ્ટાર સુરેશ ઓબેરોયના ધર્મપત્ની અને વિવેક ઓબેરોયના માતૃશ્રી યશોદાજી તથા તેમના સગાસંબંધીઓની સાથે શારદાપીઠ પરિસરમાં એક સાથે છ ઘ્વજાજીનું શાસ્ત્રોકત વિધિથી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કર્યુ હતું. દ્વારકાધીશજી મંદીરના તીર્થ પુરોહિત વત્સલભાઇ, કપિલભા વાયડા, નારપણભાઇ વાયડાએ પરિવારની બહેનો તથા યશોદાજીને પાઠ પૂજા અને ઘ્વજાજીનો આરંભ કરાવીને દ્વારકાધીશજીના ચરણોમાં પરિક્રમા બાદ જ ઘ્વજાજી અર્પણ કર્યા હતા. ટુંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર થયેલ ફિલ્માકનનું શુટીંગ પૂર્ણ કરીને વિવેક ઓબેરોયએ મોદીની ભૂમિકા કરી હોય, અને જે ફિલ્મ ટુંક સમયમાં જ રીલીઝ થનાર હોય ત્યારે ઓબેરોય પરિવારે દ્વારકાધીશજીને પ્રાર્થના કરી હોવાનું જાણવા મળેલ છે. છ ઘ્વજાજીના પૂજન બાદ હવે એપ્રિલ માસમાં આ તત્કાલ ઘ્વજાજી યોજનામાં સમાવેશ કરીને ગુગ્ગળી જ્ઞાતિ ઘ્વજાજી આરોહણ વ્યવસ્થા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.