Abtak Media Google News

લાઠી ગ્રામ શ્રમયોગી કલ્યાણ કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઇ કાટીયા વય મર્યાદાને કારણે નિવૃત થતા હોય તેઓનું સન્માન સાથે અમરેલી બહુમાળી ભવનમાં આવેલ સરકારી શ્રમ અધિકારીશ્રીની કચેરીમાં તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો.

જેમાં મોટી સંખ્યામાં સંચાલક મિત્રો ઉ૫સ્થિત રહેલા હતા અને શ્રી અરવિંદભાઇ કાટીયાને શ્રીફળ સાકરનો પડો અને શાલ ઓઢાડી તેઓએ ર૦ વર્ષ  ઉપરાંતના સમયથી બજાવેલ ફરજ બદલ અને ૨૦-૨૦ વર્ષ સુધી સૌ સંચાલકો સાથે રહેલ હોય તેઓનું સન્માન કરવામાં આવેલ હતું શ્રી અરવિંદભાઇ  કાટીયા ગ્રામ ગ્રામ શ્રમિકોની કલ્યાણકારી પ્રવૃતિઓમાં ખુબ જ સારી સેવા બજાવેલ હતી તેઓ એ આ તકે એવું જણાવેલ કે હું ભલે નિવૃત થાય પરંતુ શ્રમિકોની સેવા કરતો રહીશ આ વિદાય સમારંભમાં જીલ્લા સંચાલક મગનભાઇ જીલ્લા યુનિયન પ્રમુખ ખીમજીભાઇ પરમાર તથા વિનોદ રાઠોડ, એસ.ડી.વ્યાસ, તથા જીલ્લાના તમામ સંચાલકો ઉ૫સ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.