Abtak Media Google News

આજના દિવસે સાંજે છ વાગ્યાને ૨૯ મિનિટે સૂર્યદેવ વૃક્ષિક રાશિમાં પ્રવેશી રહ્યાના કારણે શુભ જ અવસર કહી શકાય કારણ કે આ રાશિમાં ગુરુ મહારાજ અગાઉથી જ હાજર છે.

ત્યારે આગામી એક માસ માટે આ બન્ને મુખ્ય ગ્રહોના સંયોગથી અનેક રાશિઓને લાભ થશે. ત્યારે સૂર્ય તમારા રાશિચક્રના આઠમાં સ્થાને અસર કરે છે. માટે આરોગ્ય કાળજી રાખવી ખૂબજ જરૂરી બને છે. કૌટુંબિક જીવનમાં સમય સારો રહેશે. જુગાર અને સટ્ટાબાજીના વ્યસનથી દૂર રહેવું અને ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી ફાયદો થશે.

જેનાથી વૃષભ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. પારિવારિક સ્તરે ખૂબજ ધીમે આગળ વધવું. કર્ક રાશિના લોકોએ આર્થિક લાભની તકો રહેશે અને ધીરજથી આગળ વધવાથી તમામ સમસ્યાનો હલ મેળવી શકાશે. ક્ધયા રાશિના લોકો માટે આવનાર મહિનામાં પ્રવાસનો યોગ છે, આ ઉપરાંત પ્રભાવશાલી લોકોને મળવાનું થાય, પરંતુ પરિવાર અથવા સંબંધીઓ સાથે મતભેદો થવાની શકયતાઓ વધુ છે. ધન રાશિના લોકોને પેટમાં દુ:ખાવો અને અનિદ્રા જેવી સમસ્યાઓ રહી શકે છે, વિદેશ જવાનો મોકો મળી શકે છે. સિંહ રાશિના લોકો ગાડી, ઘર નવા વસાવી શકે છે, સવારે ઉઠીને સૂર્ય નમસ્કાર કરવાથી ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.