Abtak Media Google News

છેલ્લા બે દાયકામાં ભારતમાં હૃદયરોગનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધ્યું હોવાનું વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનું તારણ ક્ષ ચરબીયુક્ત ખોરાક, અસ્ત-વ્યસ્ત જીવનશૈલી સહિતના કારણે કાર્ડીયાક તકલીફ વધી

છેલ્લા બે દાયકામાં હૃદયરોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. લોકોના હાર્ટ ફેઈલ થવાની ટકાવારી પણ સતત વધી છે ત્યારે હાર્ટ ફેઈલ અને હાર્ટ એટેક વચ્ચે શું તફાવત છે તેવા પ્રશ્ર્નો ઉઠતા હોય છે. સામાન્ય સંજોગોમાં હાર્ટ ફેઈલ ગમે ત્યારે થઈ શકે છે. વ્યક્તિનું હૃદય બંધ થાય તેને હાર્ટ ફેઈલ કહેવાય છે. બીજી તરફ હૃદયરોગ પાછળ અનેક કારણો જવાબદાર છે જેમાં ચરબીયુક્ત ખોરાક અને અસ્ત વ્યસ્ત જીવનશૈલીનો સમાવેશ થાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તાજેતરમાં જારી કરાયેલા એક અહેવાલમાં છેલ્લા બે દાયકામાં હૃદયરોગ સંબંધી રોગ અને આ રોગથી થતા મૃત્યુને ભારતમાં ભારે મોટો ઉછાળા છેલ્લા બે દાયકામાં આવ્યો છે.

ચરબી યુકત ખોરાક, મેદસ્વીતા અને સ્ટ્રરોટ જેવી દવાઓ, અસ્થિર જીવનશૈલીથી પ્રારંભીક હૃદય સંબંધી સમસ્યાઓ ઉભી થાય છે. હૃદયને ચેપ લાગવા અને કાર્ડિયોમીથેરાપી સંબંધી તકલીફોને કારણ કે હાર્ટફેલ પંપીંગની ક્ષમતા ઘટી જાય છે. રકતકણો ઘટ થાઈરોટગ્રંથી વધુ સક્રિયતા અને અનિયમિત હૃદયના ધબકારા ભવિષ્યની મુશ્કેલીનો સંકેત આપી દે છે હાર્ટફેલ અને હાર્ટએટેક બંને હૃદયના અલગ અલગ રોગો છે. હાર્ટએટેક અચાનક આવે છે. જયારે હૃદય સાથે જોડાઈ ગયેલ ધમનીઓ અચાનક ભરાઈ જાય છે. અને હૃદયમાં જતુ લોહી અટકાવી દેવાય છે. આ કેસમાં હૃદય સુધી પહોચતા ઓકિસજનનો પુરવઠો અટકી જાય છે. આ પરિસ્થિતિ હૃદયના સ્નાયુઓને હાનિ પહોચાડે છે અને હાર્ટફેલ સર્જાય છે. હૃદયના સ્નાયું નબળા પડી જાય છે. અને પંપીંગમાં મુશ્કેલી અનુભવે છે આ પરિસ્થિતિ શરીરના અન્ય ભાગો માટે પણ ઘાતક નિવડે છે. જોકે આ પરિસ્થિતિમાં દવા અને સારવાર અને સુખમય જીવન આપે છે. પરંતુ તેમ છતાં હાર્ટફેલ અને હાર્ટએટેક અવશ્ય પણે જીવલેણ બની શકે છે. ડો નરેશ ત્રેહાનએ જણાવેલ છે કે શા માટે હૃદયના દર્દીઓને મહામારીના સમમાં સવિશેષ કાળજીની જરૂર પડે છે. તેમની આ ટીપ્સ ખૂબજ ઉપયોગી નીવડી શકે છે. જીવનશૈલીમાં જરા સરખો ફેર કરવાથી હાર્ટફેલના લક્ષણો નિવારી શકાય છે અને આરોગ ક્રિટીકલ બનતો અટકાવી શકાય છે. સજાગતા જેવી કે વજનની વધઘટ પર સતત ધ્યાન આપવું સમતોલ, આહાર, પોષકઆહાર અને તણાવની પરિસ્થિતિ નિવારવાથી હૃદયરોગથી બચી શકાય છે. જયારે હાર્ટફેલનાં કિસ્સામાં જીવનશૈલીમાં દવાની સાથે સાથે ફેરફાર કરવાથી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય છે. અને હાર્ટફેલને નિવારી શકાય છે. ડાબી ધમનીની સારવાર અને ડિવાઈસથી હૃદયના ધબકારા જાળવી શકાય છે.

વિશ્વ હૃદય દિવસે કેટલીક ટીપ્સ અપનાવીએ

કેવી રીતે લેફટ પનટ્રી કયુલર આશિષ ડિવાઈઝ લ્વાદ સફળ થાય છે. આ યંત્ર સરળ સલામત અને હૃદયની જાળવણી માટે ખૂબજ અસરકારક સાબિત થયું છે. પ્રાથમિક તબકકામાં જ તે કામ કરવા લાગે છે એનસીબીએ લખ્યું છેકે લ્વાદ સફળ રહ્યું છે. શું આ સારવારથી જીવનશૈલી બદલી શકાય છે. લ્વાદનાં પ્રત્યાર્પણથી જીવન શૈલી સુધરી શકે છે. શરીરમાં રકતનો પૂરવઠો પૂરતો મળવાથી કીડની, લીવર, મગજ અને શરીરનાં અન્ય પૂરજાઓ
વ્યવસ્થિત કામ કરવા લાગે છે. શરીરની રોગ પ્રતિકારક સારવાર કામ આવે છે અને હાર્ટફેલ નિવારી શકાય છે.

તંદુરસ્ત હૃદયની ટીપ્સ

અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે આપણે એક જ પ્રકારની કેટલીયે માન્યતાઓ માનતા હોઈએ છે ત્રણ ચાર વર્ષમાં જ પરિસ્થિતિ બગડી જાય છે. લ્વાદ મશીન પ્રત્યાપર્ણ કર્યા બાદ તેને સારી રીતે થવું જોઈએ આ મશીન દરેક સમસ્યા નિવારી શકે છે. હૃદય સંબંધી મુશ્કેલીઓ અને હાર્ટફેલ સામે લવાદ અકસીર સાબીત થાય છે. હાર્ટફેલ અને હૃદયરોગ બંને અલગ અલગ સમસ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.