Abtak Media Google News

આજકાલ ભાવનગરના ડો.ગોલવલકરનો વિડીયો વોટસએપ તથા ફેસબુક પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ડો.ગોલવકરે ટીબી અને ન્યુમોનિયાના દર્દી પર વર્ષોથી મિથિલિન બ્લ્યુનો ઉપયોગ કરે છે અને ૧૦૦૦થી વધુ દર્દીઓને આ દવાની સારવાર દ્વારા નિરોગી કર્યા છે. હાલમાં કોરોનાના પોઝીટીવ દર્દી પર પણ આ દવાનો પ્રયોગ કરતા ખુબ જ સારા પરિણામ મળી રહ્યા છે. રાજકોટમાં ઘણા દર્દી પર આ દવાની સારવાર આપતા દર્દીને ખુબ જ ફાયદો જણાવ્યો છે.

મિથિલિન બ્લ્યુએ એક પ્રકારનું કેમિકલ પાવડર છે. પાણી અથવા આલ્કોહોલ સાથે બ્લ્યુ કલરનું સોલ્યુશન બનાવે છે. આથી મિથિલિન બ્લ્યુ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે મિથિલિન બ્લ્યુ એન્ટી બેકટેરીયલ અને એન્ટી માઈક્રબીઅલ પ્રોપર્ટી ધરાવે છે. મિથિલિન બ્લ્યુનું ૦.૧ ટકા સોલ્યુશન (મુળ વાટે) લઈ શકાય છે. તે બનાવવા માટે ૧ ગ્રામ મિથિલિન બ્લ્યુને ૧ લીટર પાણીમાં ઓગાળીને ૦.૧ ટકા સોલ્યુશન બનાવી શકાય છે. કોરોના પોઝીટીવમાં અસરકારક પરિણામ બનાવે છે આથી પોઝીટીવ દર્દીને દિવસમાં ચાર વખત ૮ થી ૧૦ ટીપા લેવા જોઈએ. જયારે કફ, શરદી, કડતર જેવા લક્ષણોમાં ૨ થી ૩ વખત દિવસ દરમ્યાન લેવાની સલાહ છે. આ દવા ૪ થી ૫ દિવસ લેવાથી રોગમાં રાહત મળી શકે છે.

આ દવા પ્રવાહી સ્વરૂપે છે જે ૮ થી ૧૦ ટીપા અથવા અડધાથી ઓછી ચમચી ભરી જીભની નીચે મુકવામાં આવે છે. જીભ નીચે ૧૦-૧૫ મિનિટ રાખવાથી તે સોસાઈ જાય છે. ૧૦ મિનિટ બાદ પાણી વડે તેને પેટમાં ઉતારી જવાની હોય છે. દવા પહેલા અડધી કલાક ખોરાક ન લેવો હિતાવહ છે.

આ પ્રયોગ દિવસમાં ૪ વખત કરવો જોઈએ. મિથિલિન બ્લ્યુ નાસ દ્વારા પણ લઈ શકાય છે. દિવસમાં બે-ત્રણ વખત ૪૦૦-૫૦૦ મિલિ પાણીમાં ૧૦ થી ૧૫ ટીપા નાખી વરાળ (બાષ્પ) નાક વડે લઈ શકાય છે.

જેમને કોરોના પોઝીટીવ હોય તેમને ઓરલી (મુળ વાટે) ઉપરાંત ખાસ નાસ વડે પણ આ દવા લેવાની સલાહ આપવામાં આવે છે.

મિથિલિન બ્લ્યુની આડઅસર છે ?

મિથિલિન બ્લ્યુનો હળવો ડોગ કોઈ ખાસ આડ અસર કરતો નથી. વધુ પ્રમાણમાં હેવી ડોઝ આડ અસર ઉપજાવી શકે છે. સામાન્ય અસરમાં જીભ બ્લ્યુ થઈ જવી અને પેશાબ લીલાશ પડતો પીળો આવી શકે છે.

કોને આ દવા ન લઈ શકાય ?

સામાન્ય રીતે નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને આ દવા ન લેવાની સલાહ અપાય છે. યુવાન અને વૃદ્ધ ઉંમરના લોકો આ દવા લઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.