Abtak Media Google News

વર્ષ 2017 માટે અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર અમેરિકન અર્થશાસ્ત્રી રિચર્ડ એચ થોલરને આપવામાં આવશે. થોલરને આ સન્માન વ્યાવહારિક અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ એનાયત કરાશે. થોલરે અર્થશાસ્ત્ર અને મનોશાસ્ત્રનો સચોટ તાલમેલ બેસાડી મહત્વનો સિધ્ધાંત આપ્યો છે.જેમાં લોકો પોતાની જિંદગી સારી રીતે જીવવા આર્થિક નિર્ણયો કેવી રીતે વિવેકબુધ્ધિથી લે છે તે દર્શાવ્યું છે. આ રીતે લોકોને આર્થિક રાહત થાય છે ઉપરાંત તેઓ સમાજિક ફાયદા પણ લે છે. 72 વર્ષના થોલર યુનિવર્સિટિમાં પ્રોફેસર તરીકે સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.