Abtak Media Google News

બોલેરો અને કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં જમાઇ અને પુત્રી ઘવાયા

જૂનાગઢના મતીયાણાના પરિવાર પૂનમ નિમિતે દ્વારકા દર્શન કરવા જઇ રહ્યા હતા ત્યારે પોરબંદર નજીક બોલેરો અને કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રના મોત નીપજ્યા હતા અને જમાઇ અને પુત્રી ઘવાતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાકળ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મતીયાણા લખમણભાઇ હમીરભાઇ જાદવ, તેમના પુત્ર રાજુભાઇ લખમણભાઇ જાદવ, પુત્રી વેજીબેન લખમણભાઇ જાદવ અને કુટુંબી જમાઇ દિનેશ હમીરભાઇ બોરખતરીયા જી.જે.૧૭બીએ. ૧૧૪૫ નંબરની કારમાં પૂનમ નિમિતે દ્વારકા દર્શન કરવા જઇ રહ્યા હતા.

કાર પોરબંદરના રાતડી ગામ નજીક પહોચી ત્યારે સામેથી આવતી બોલેરો સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લખમણભાઇ જાદવ અને તેમના પુત્ર રાજુભાઇ જાદવના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. પુત્રી વેજીબેન જાદવ અને જમાઇ દિનેશભાઇને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.