Abtak Media Google News

શનિવારે સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના કર્મચારીનું સન્માન

ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્વામીની શતાબ્દી ઉપલક્ષે સમૂહ વરસીતપ આરાધકોના ચોથા મણકાના અતરવારણા ધીરગૂ‚દેવની ૩૭મી દીક્ષા જયંતિ અનુમોદનાર્થે આવતીકાલે તા.૨૩ને શુક્રવારે સવારે ૧૦ થી ૧૧ કલાકે પૂ. મહાસતીજી વૃંદની નિશ્રામાં સમૂહ સમાધીજાપ અને ૧૧.૩૦ કલાકે તપસ્વીઓનું ભોજન રંજનાબેન કામદાર અમેરીકા અને મંજુલા શેઠ તરફથી યોજાશે તપસ્વીઓને ૧૦ વાગ્યે જૈન ભવન પહેલા માળે ૨૧ જાગનાથ ખાતે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

તેમજ રાજકોટના સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના કર્મચારીગણનું તા.૨૪ને શનિવારે બપોરે ૩ થી ૪.૩૦ કલાકે વૈશાલીનગર શેરી નં.૫રૂ કામદાર ઉપાશ્રય, આમ્રપાલી સીનેમા સામે, રૈયારોડ ખાતે રંજનાબેન જે. કામદાર હ. દેવલ હિતેન કામદાર દ્વારા રાખવામાં આવ્યું છે. દરેક સ્થાનકવાસી, જૈન સંઘોએ કર્મચારીની યાદી શુક્રવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પી.એમ. ફાઉન્ડેશન, ઈન્દ્રપ્રસ્થનગર સંઘ, હેમુગઢવી હોલ પાછળ આપવા જણાવાયું છે. જેની નોંધ લેવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.