મોઝામ્બિકમાં ગત સપ્તાહે આવેલા ભયંકર અને વિનાશકારી વાવાઝોડાંના કારણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે. આ વાવાઝોડાંમાં અત્યાર સુધી 1,000થી વધુ લોકોનાં મોત થયાની આશંકા છે. વાવાઝોડાંથી ઝિમ્બાબ્વેમાં પણ વિનાશનું દ્રશ્ય જ જોવા મળી રહ્યું છે, અહીં ડઝનથી વધુ લોકોનાં મોત થયા છે અને 200થી વધુ લોકો ગુમ છે. ગુરૂવારથી ત્રાટકેલાં ઇદાઇ વાવાઝોડાંએ મોઝામ્બિકના બેરા શહેરને લગભગ નષ્ટ જ કરી દીધું છે. ભારે પવન અને પૂરના કારણે જાનમાલને નુકસાન થયું છે. પૂરના પાણીમાં અનેક મકાનો અને સડકો પણ વહી ગઇ છે. અત્યાર સુધી સત્તાવાર રીતે 84 લોકોનાં મોતની પુષ્ટિ થઇ છે. સત્તાવાર મૃત્યુઆંક હવાઇ સર્વે બાદ સામે આવશે, પરંતુ એક અનુમાન છે કે, 1,000થી વધુ લોકોનાં મોત થયા છે. ન્યૂસીએ આ વાવાઝોડાંને ભયાનક આપદા ગણાવી છે. તેઓએ કહ્યું હતું કે, હજુ પણ એક લાખથી વધુ લોકોને જોખમ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર