Abtak Media Google News

જગત મંદિરના વીસ મંદિરોમાં પણ મહોત્સવ ઉજવાશે

મૂળ દ્વારકાના અને હાલ મુંબઈ સ્થિત તન્ના પરિવાર દ્વારા આગામી તા.૦૫ને શુક્રવારના રોજ દ્વારકાધીશ જગત મંદિરમાં કુનવારા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.

આ સાથે જ જગત મંદિર પરિસરના અષ્ટ પટરાણીના મંદિરો લક્ષ્મીજી, રાધીકાજી, સરસ્વતીજી, સત્યભામાજી, જાંબુવંતીજી, રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, ત્રિવિક્રમરાયજી, માધવરાયજી, પ્રદ્યુમનજી, ગાયત્રીજી, અંબીકાજી, કુશેશ્ર્વર મહાદેવ, પુ‚ષોત્તમરાયજી, દુર્વાસા મુનિ સહિતના વીસ જેટલા મંદિરોમાં પણ મહોત્સવ ઉજવાશે જે અંગેની તમામ તૈયારીઓ શારદાપીઠના પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવી છે.

આ સાથે જ દ્વારકાધીશ જગત મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવનાર છે. જયારે બેટ દ્વારકાધીશ જગત મંદિરમાં આવતીકાલે નૂતન ધ્વજારોહણ તથા કુનવારા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. તેમજ સમસ્ત બેટવાસીઓ માટે સમૂહ ભોજન તથા યાત્રીકો માટે પ્રસાદીનું પણ આયોજન કરાયું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.