Abtak Media Google News

દરેક છોકરો ઇચ્છે છે કે તેની થનારી પત્ની સુંદર, સુશીલ અને ગુણકારી હોય. જો તમે પણ એક સુંદર, સુશીલ પત્ની ઇચ્છો છો તો દુર્ગાસપ્તશતીમાં 1 મંત્ર બતાવવામાં આવ્યો છે. તેના માટે તમારા એક વિધિ અનુસાર પૂજા કરવાની રહેશે

પૂજાની વિધિ :

સવારે જલદી ઉઠો અને સ્નાન કરીને સ્વચ્છ કપડા ધારણ કરો. તે બાદ તમે દેવી દુર્ગાની મુર્તિ કે ફોટાની સામે આસન પાથરીને બેસી જાઓ તે દરમિયાન તમે હાથમાં રૂદ્રાક્ષની માળા લઇને આ ખાસ મંત્રનો જાપ કરો.

મંત્ર – पत्नीं मनोरमां देहि मनोवृत्तानु सारिणीम्। तारिणींदुर्गसंसार सागरस्य कुलोद्भवाम्॥

આ મંત્રનો મતલબ એવો થાય છે કે હે દેવી, મને મનની ઇચ્છા અનુસાર ચાલનારી મનોહર પત્ની પ્રદાન કરો. જે દુર્ગમ સંસાર સાગર તારનારી તથા ઉત્તમ કુળમાં જન્મ લીધો હોય. એવું માનવામાં આવે છે કે જો તમે રોજ એક જ સમય પર એક જ આસન પર બેસીને એક માળાથી મંત્રનો જાપ કરશો તો તમારી મનોકામના જલદી પુરી થઇ જશે. એટલું જ નહીં પરંતુ તમે જે રીતની પત્ની મેળવવાની ઇચ્છા રાખો છો એવી પત્ની પણ તમને મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.