Abtak Media Google News

માનવ કલ્યાણ મંડળ સંસ્થાના દિવાળીના ઉજવણીના ભાગરૂપે ચેરમેન મુકેશભાઈ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન તેમજ ૧૮૫૦ સભ્યો દ્વારા જરુરીયાતમંદોને મિઠાઈ, ફરસાણના પેકેટ્સ, ડ્રાયફૂટ, ચોકલેટ, અનાજ, લોટ, મસાલા, કઠોળ, દાળ, ભાત, નવા કે જૂના કપડા, ધાબડા, સાલ, ગરમ કપડા, સ્કૂલબેગ, સાયકલ, રમકડાં, ચોપડા, નોટબુક, વોટર બોટલ, નવા બુટ-ચંપલ, મોબાઈલ, ફરનીચર, ટીવી, ગાદલા, પલંગ, ખુરશી, વિલચેર તેમજ અન્ય લોકોપયોગી ચિજવસ્તુનું વિતરણ કરવામાં આવે છે.

ત્યારે આ વસ્તુઓનું સ્લમ વિસ્તારમાં સંસ્થા દ્વારા નિ:શુલ્ક વિતરણ તા.૪ નવેમ્બરના રોજ કરવામાં આવશે. દાતાઓએ “ઓમકાર પરીમલ સોસાયટી, શેરી નં.૨, પ્લોટ નં.૧૨, યુનિ. રોડ, રાજકોટ-૫ (મો.૯૪૨૯૧ ૬૬૭૬૬), માનવ કલ્યાણ મંડળ, ૩-ગંગા જમુના સરસ્વતી ટાવર, એકતા પ્રકાસન પાસે, યુનિ. રોડ (રાજકોટ, ૯૪૨૬૭ ૩૭૨૭૩)નો સંપર્ક કરવા જણાવાયું છે.

આ ઉપરાંત બહેનો માટે નિ:શુલ્ક બ્યુટી પાર્લર, સિવણ જેવા કલાસ. આ સિવાય સર્વજાતિ માટે નિ:શુલ્ક મેરેજ બ્યુરો, સમાધાનપંચ, પ્લેસમેન્ટ સર્વિસ જેવી સેવાઓ તથા જીવન જ‚રી કરીયાણુ, ફરસાણ, મિઠાઈ વગેરેનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે.

સંસ્થાના સેવાકીય કાર્યની વધુ માહિતી માટે સંસ્થાના ચેરમેન મુકેશભાઈ મેરજા (૯૪૨૬૭ ૩૭૨૭૩) કે સંસ્થાના પ્રમુખ ગીતાબેન પટેલ (૯૪૨૯૧ ૬૬૭૬૬)નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.