Abtak Media Google News

“બાર, રેસ્ટોરન્ટ, પાનની દુકાન રહેશે બંધ “

લોક ડાઉનના ત્રીજા ફેસમાં દમણ-દીવ અને દાદરાનગર હવેલી ગ્રીન ઝોનમાં છે. પ્રશાસનના અથાગ પ્રયત્નો અને પ્રજાના સહકારથી અહીં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી.

દીવ જિલ્લા કલેકટર શ્રીમતી સલોની રાયે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે પ્રશાસન દ્વારા દીવમાં અમુક છૂટછાટ આપવામાં આવી છે. જેની અંદર લિકર શોપ, સલૂન, પાર્લર ઓટો રીક્ષા ચાલુ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ હજી સુધી પાનના ગલ્લા બીયર અને દારૂના બાર રેસ્ટોરન્ટ ને ખોલવા મંજૂરી મળી નથી.

કલેકટર સલોની રાયે જણાવ્યું હતું કે દીવ ગ્રીન ઝોનમાં હોવાના કારણે અમુક વધારે છૂટછાટ આપવામાં આવે છે. જેની અંદર દીવના ૮ વાઈન શોપને શરતો ઉપર મંજૂરી આપવામાં આવી છે દુકાનની અંદર પાંચથી વધારે ગ્રાહકો ન હોવા જોઇએ તેમજ સામાજિક અંતર જળવાઈ રહે તેના ઉપર ખાસ ધ્યાન આપવું. આ સાથે ઓટોરિક્ષા, હેર સલૂન બ્યુટી પાર્લર વગેરેને પણ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ સાથે સામાજિક અંતર જળવાય રહે છે સૅનેટાઇઝરનો ઉપયોગ, માસ્ક પહેરવું વગેરે નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું.

આ સાથે કલેકટર સલોની રાયે ખાસ જણાવ્યું હતું કે દીવની બંને ચેકપોસ્ટો હજુ જે રીતે સીલ કરવામાં આવી છે એ જ પ્રમાણે બંધ રહેશે. જે લોકો ઉના કે દીવની બહાર થી અહીં આવે છે અને તેમની દુકાનો દીવમાં છે તો તે લોકોને હાલમાં મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત બાર, રેસ્ટોરન્ટ, પાનની દુકાનો પણ બંધ રહેશે.

આ સાથે લોકડાઉનના આ ત્રીજા ફેસ કોઈ પણ પ્રકારના સામાજિક, ધાર્મિક, કાર્યક્રમો બંધ રહેશે. 144 હજી લાગુ રહેશે. આ સાથે શ્રીમતી સલોની રાયે દીવના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો કે જે રીતે આજ સુધી દીવના લોકોએ જે રીતે લોકડાઉનને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો છે એ જ રીતે આગળના દિવસોમાં પણ હજુ દીવ ગ્રીન ઝોનમાં જ રહે તે માટે પ્રશાસનના સૂચનોનું આ જ રીતે પાલન કરે અને સામાજિક અંતર જળવાઈ, સૅનેટાઇઝર, માસ્કનો ઉપયોગ કરે તેમજ સ્વચ્છતા જાળવી રાખે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.