બગસરામાં સીવીલ હોસ્પિટલમાં અમરેલી જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ રોગચાળો ફેલાતા અને ડેન્ગ્યુના વધુ કેસો જોવા મળતા મુલાકાત લીધી હતી. છેલ્લા ઘણા સમયથી બગસરામાં રોગચાળાએ માજા મુકી છે સતત તાવના કેસો દિન પ્રતિદિન વધતા જોવા મળ્યા છે. તેમાં ઠેર ઠેર ઘરે ઘરે તાવ અને કર્ણ ધટી જવાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અને ડેન્ગ્યુના કેસો ઘરે ઘરે જોવા મળ્યા છે ત્યારે જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ આ તાલુકાની મુલાકાત લેતા બગસરા સીવીલ હોસ્પિટલની મુલકાતે આવીને હોસ્પિટલમાં શું શું જરુરીયાત તેની માહીતી બગસરા સીવીલ હોસ્પિટલના અધીક્ષક ડો. સાવલીયા પાસેથી જાણી હતી તેમજ હોસ્પિટલના બીજા ડો. ઠુમ્મર સાથે મુલકાત કરી હતી તેમજ લેબોરેટરી દર્દીઓના વોર્ડની મુલકાત કરી હતી. હોસ્પિટલના અધિક્ષક ડો. સાવલીયાએ રવજીભાઇ વાઘેલાને જણાવ્યું કે આ હોસ્પિટલમાં ૩૦ બેડ ની જગ્યાએ અને દરરોજ પાંચસોથી છસ્સો દર્દીઓ સારવાર લેવા આવે તો આ હોસ્પિટલનાની પડે છે નવી હોસ્પિટલની મંજુરી મળેલ છે. તો તાત્કાલીક ટેન્ડરીગ થાય તે માટે જીલ્લા પંચાયત લેવલે આ બાબતે ધટતું કરીને આગળ ઝડપી નવી હોસ્પિટલ બે માળની પાસ થયેલ તો ઝડપીથી ટેન્ડરીંગ મંજુરી થાય તેવી માંગણી કરી હતી.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક