હાલ વિશ્વ આખામાં ચાલી રહેલ કોરોના મહામારીથી સ્વ બચાવ તથા તેનું સંક્રમણ અટકાવવાના સરકારની ગાઈડ લાઈન મુજબ મોરબી ઇન્ડિયન લયોનેસ કલબ દ્વારા ગઇકાલે તા.૨૪ના રોજ સીટી પોલીસ સ્ટેશનના સામેના ખુલ્લા મેદાનમાં શાકભાજી તથા ફ્રુટનો ધંધો કરતા દરેક પાથરણા વાળાને માસ્ક, સેનેટાઈઝરની બોટલ તથા મીનરલ વોટરની બોટલ આપી તમામને જાગૃતિનો સંદેશ આપેલ હતો.આ પ્રોજેક્ટમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે ૫-૫ મેમ્બરોના અલગ-અલગ ગ્રુપ બનાવી દરેક મેમ્બરને લાભ મળે તેવું આયોજન કરેલ હતું. સેનેટાઈઝર તથા મીનરલ વોટરના ડોનર સેક્રેટરી મયુરીબેન કોટેચા પણ વિતરણ કરવાનો લાભ લીધેલ છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા સેક્રેટરીશ્રી મયુરીબેન કોટેચા, ટ્રેઝરર નયનાબેન બરા, પુનમબેન હીરાની, કામિનીબેન સિંગ, રંજના બેન શાડા, સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ કોરોના સંક્રમણમાં સ્વ બચાવ તથા જાગૃતતા અભિયાન મોરબી ઇન્ડિયન લાયોનેસના પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ તથા શોભનાબા ઝાલા તથા તેમની કારોબારી ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર