Abtak Media Google News

સિઘ્ધનાથ મહાદેવ મંદિર તેમજ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણની જાળવણી માટે સિઘ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ લોકોએ પોતાની રાશી પ્રમાણેના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ તકે મેયર બિનાબેન આચાર્ય તેમજ કોરર્પોરેટર,  અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિઘ્ધનાથ  મહાદેવ મંદિરના ટ્રસ્ટી  હેમંતસિંહ ડોડીયાએ જહેમત ઉઠાવી હતી.

Vlcsnap 2020 06 08 12H48M19S800

રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિઘ્ધનાથ ગ્રુપના ડોડીયાભાઇ મયુરીબેન તથા ટીમ દ્વારા વારંવાર અનેક કાર્યક્રમોનું આયોજન કરતા જ હોય છે. પરંતુ આજે પ્રકૃતિને ઘ્યાને લઇ વૃક્ષોનું  વિતરણ કરવામાં આવ્યું છે. એક વ્યકિતએ પોતાની રાશી સાથે મળતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મંદિરના સાનિઘ્યમાં જ ડોડીયાભાઇ તેમજ ટીમ આવા આયોજન કરતા જ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.