Abtak Media Google News

૭૮૦૦ થી વધુ લોકોએ લાભ લીધો

કોરોના મહામારીમાં રાજપૂત યુથ કલબ દ્વારા સતત ૩૫ દિવસ સુધી આયુર્વેદિક ઓસડીયા અને શકિતવર્ધક રોગપ્રતિકારક શકિત વધારનાર આયુર્વેદીક ઉકાળાનું રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ૩પ દિવસ દરમિયાન નાના બાળકોથી લઇ વૃઘ્ધોએ ઉકાળાનું સેવન કર્યુ હતું.  ૩પ દિવસમાં કલબ દ્વારા ૭૮૦૦ થી વધુ લોકોએ ઉકાળા વિતરણોના લાભ લીધો હતો. ઉપરાંત સોરઠીયા  રાજપુત સમાજના જરૂરીયાતમંદ પરિવારોને કોરોના સમયમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું.

સેવાકીય કાર્યોને સફળ બનાવવા સોરઠીયા યુથ કલબના ભાર્ગવ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ, અલ્પેશ ગોહીલ તથા સોરઠીયા યુથ કલબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.