સમગ્ર ભારત વર્ષમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ બાપુનાં આ સુત્રને સાકાર કરવા મદદરૂપ બને તેવી સ્માર્ટ ડસ્ટબીન તૈયાર કરનાર ધોળકિયા સ્કુલનાં બાળવૈજ્ઞાનિકો રાજયકક્ષાનાં વિજ્ઞાનમેળા માટે પસંદગી પામ્યા છે. આશીતાબેન અને અશ્ચિનભાઈ ગોંડલિયાનાં પુત્ર મંથન તથા હેતલબા અને દિપકસિંહ ઝાલાના પુત્ર ઋતુરાજસિંહ ઈલેકટ્રોનિક સરકીટનો ઉપયોગ કરી ડસ્ટબીન તૈયાર કરેલ છે. કોઈપણ વ્યકિત ડસ્ટબીન પાસે આવશે કે તરત સર્વો મોટર ફરશે પરિણામે ડસ્ટબીનનું ઢાંકણ આપો આપ ખુલ્લી જશે અને ઉપયોગ બાદ તરત જ ડસ્ટબીન બંધ થઈ જશે આ રીતે ડસ્ટબીન જાતે ખુલ બંધ થઈ જશે તેમજ ડસ્ટબીન પૂર્ણ ભરાઈ જશે તેની જાણ પણ મોબાઈલ પર થશે આથી તેમાં રહેલ કચરાનો નિકાલ કરી શકાશે. કે.જી.ધોળકિયા સ્કુલમાં ૮માં ધોરણમાં અભ્યાસ કરતા બંને બાળવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલ આ સ્માર્ટ ડસ્ટબીનનો પ્રોજેકટ રાજયકક્ષાનાં વિજ્ઞાનમેળામાં રજુઆત પામશે.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક