રાજકોટ જીલ્લાના ધોરાજી માં છેલ્લા ઘણા સમય થી રોડ રસ્તા ભૂગર્ભ ગટર અને પાણી ની પાઈપ લાઈનો દરમિયાન ધોરાજી મુખ્ય રોડ રસ્તા તોડી નાખ્યા હતા અને લોકો ઘણા સમય થી પરેશાન થયાં હતાં નાનાં મોટાં અકસ્માતો નાની મોટી અસુવિધા ઓ લઈને અનેક આંદોલન થયાં હતાં જ્યારે નગરપાલિકા ની ચુંટણી થતાં ભાજપ ને જાકારો આપીને કોંગ્રેસ ને મત આપી જીત અપાવી હતી અને લોકો મન એવું હતું કે જે કામ ભાજપ નાં શાસન માં નથી થયાં તે કોંગ્રેસ દ્વારા કામો માટે વેગ પકડશે પણ બાવા નાં બેય બગડયા જે પરીસ્થિતિ ભાજપ નાં શાસન માં હતી તે જ પરીસ્થિતિ કોંગ્રેસ નાં શાસન માં જોવાં મળી અંદોરો અંદર નાં મતભેદ લઈને અંદરો અંદર જુથવાદ માં ધોરાજી ની આમ જનતા ની પરિસ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે અને ધોરાજી નો વિકાસ વર્ષો પહેલાં ગાંડો થયો હતો અને આ જે ધોરાજી નો વિકાસ રૂંધાઇ પણ રહયો છે ભૂગર્ભ પાણી ની પાઈપ લાઈન યોજના અધ્ધરતાલ પર જોવાં મળી છે ત્યારે જયાં ખોદકામ થયું હતું તેનાં ૫૦% કામો માં ભેદભાવ સામે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા તો ધોરાજી નાં અર્જુન સ્કૂલ સ્ટેશન રોડ અને કઈંઈ પાસે નો વિસ્તાર માં તો છેલ્લા ૭૦ વર્ષથી વિકાસ નાં કામોથી વંચિત લોકો છે રોડ રસ્તા નાં કામો છેલ્લા ૭૦ પહેલાં થયાં હતાં ત્યાર બાદ કોઈ કામો થયાં નથી એવું ત્યાના સ્થાનિક રહેવાસી ઓ નું કહેવાનું છે આમ હવે ધોરાજી નો વિકાસ રૂંધાઇ પણ રહયો છે એવો ઘાટ સર્જાયો છે.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક