જસદણમાં રાત્રીને દિવસ સમજનારા અને ગામના પાટીયા પર બેસી ગામની જ કૂથલી કરનારાઓ પર રાત્રી કફર્યુના કારણે ગત રાત્રીના નાયબ મામલતદાર ઝાલાએ ઘોસ બોલાવતા પાટીયા પર બડાઇ ફેકનારાઓને રીતસર ગલી ખાતામાં સંતાઇ જવું પડયું એવી સ્થિતિ સર્જાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં કોરોનાથી લોકોમાં ભારે ફફડાટ છે લોકોના વેપાર રોજગારમાં પણ મંદી છે જીવલેણ કોરોના વાઇરસને લઇ હાલમાં અનલોક-ર માં રાત્રી કફર્યુ હોવા છતાં કેટલાંક રખડુઓ રાત્રીના મોડે સુધી પાટીયા પર બેઠી કુથલીમાં વ્યસ્ત રહેતા અને સંક્રમણ પેદા કરી રહ્યાની રાવને લઇ ગત રાત્રીના નાયબ મામલતદાર ઝાલાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી રખડુઓને કાયદાનું ભાન કરાવવા પોલીસને સોંપ્યા હતા. કફર્યુની ઐસી તૈસી કરનારાઓને રાત્રીના ભાગવું ભારે થઇ પડયું હતું અને પોલીસ મથકે પોતાના સંબંધીઓને ફોન રણકાવવાની નોબત આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર