Abtak Media Google News

પ્રકૃતિપ્રેમી હિતેશ દવે તથા ડો.ચિરાગ સાતાએ જીવન ઉપયોગી માર્ગદર્શન આપ્યું

ગોંડલ એસઆરપી ગ્રુપ ૮ના જવાનો માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ, ચિંતા ઉપાધિ મુક્તિ સેમીનારનું એસઆરપીના એમ.ડી.પરમાર ડીવાયએસપીના વડપણ હેઠળ આયોજન કરવામાં આવતા ગોંડલ એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓ માટે રોજિંદા જીવનમાં અને વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ચિંતા ઉપાધિ મુક્ત ફરજ બજાવી શકે અને ટ્રેસ મેનેજમેન્ટ દ્વારા રોજિંદા વ્યવહારમાં સામાન્ય જીવન કેમ જીવવું તેનું માર્ગદર્શન આપવા માટે ગોંડલના ડો.ચિરાગ સાતા એમ.ડી.,આર. ડી.મહેતા નિવૃત ચીફ એન્જી. અને પ્રકૃતિપ્રેમી હિતેશ દવેના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને એસઆરપી જવાનોને વ્યવસ્થિત અને જીવન ઉપયોગી માર્ગદર્શન આપતા ડો.ચિરાગ સાતાએ જણાવેલ કે આપણે જીવનના દરેક પ્રશ્નોને મેગ્નિફાઈ કરીને જોવાની આદત કેળવી છે તે નુકશાન કારક બને છે. પ્રકૃતિપ્રેમી હિતેશ દવેએ જણાવ્યું હતું કે, જીવનમાં દરેક ડગલે મુંઝવતા પ્રશ્નોને અનુભવ અને સહજતાથી લઈને તેને હલ કરવાની આદત કેળવવી ખૂબ જરૂરી છે.આર. ડી.મહેતાએ તમામ જવાનોને તેમની લોકોની સેવા કામગીરીને બિરદાવતા નોકરી અને ઘર કુટુંબને બેલેન્સ રાખી સારા વાણી વર્તન અને તંદુરસ્ત શરીર વડે જીવનમાં સફળતા મેળવી શકાય છે.

Img 20200920 Wa0012

ડીવાયએસપી એમ.ડી.પરમારે જણાવેલ કે વડીલોના જીવન અને અનુભવમાંથી તેમજ તેમનો આદર કરવાની આદત વડે જીવનમાં આવતા ચિંતા ઉપાધિ અને પ્રશ્નોનો હલ મેળવી શકાય છે. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન એસઆરપી, પીએસઆઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. જાડેજા દ્વારા એસઆરપી જવાનો માટે પોતાનો સમય જ્ઞાન અને અનુભવ દ્વારા ઉપયોગી વક્તવ્ય આપવા બદલ ડો.ચિરાગ, હિતેશ દવે અને મહેતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સેમિનારના આયોજનમાં સુરેશ ગોંડલીયાનો સહયોગ મળ્યો હતો. સેમિનારનો લાભ લેનાર જવાનોએ તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ વકતવ્ય અને માર્ગદર્શન ખુબજ ઉપયોગી અને અસરકર્તા હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.