Abtak Media Google News

માણાવદરમાં દલિત સમાજે યોગી વિરુધ્ધ લગાવ્યા નારા

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે માણાવદર ખાતે મામલતદારને પાઠવ્યું આવેદન

છેલ્લા છ વર્ષથી ભારત માથે પનોતી બેઠી હોય તેમ ચોરી,લૂંટ,બળાત્કાર, ધાકધમકી, ખૂન વગેરે જેવી અનેક ધટનાએ રોદ્ રૂપ ધર્યું છે. દેશમાં દરરોજ સતાસી બળાત્કાર થાય છે. જાણે ભારત બળાત્કાર માં જ મહાન ન બની રહયું હોય ! કાનૂન કથળી પડયો છે. તેમાય દલિતો અને મુસ્લિમોને ટારગેટ બનાવાઇ રહયા છે. સરકાર વિકાસના નામે વાજા વગાડી રહી છે ને તેની નજર સામે બેન દીકરીઓના ચીર હરણ થઈ રહયા છે. કચ્છના દેવજીભાઇ મહેશ્વરી તથા ઉતર પ્રદેશના હાથરસન ગામની દલિત યુવતિની હત્યાના પડધા સમાજ ઉપર પડયા છે.

આ બન્ને ધટનાઓએ માણાવદર તાલુકાના દલિતોમાં ગુસ્સો પ્રેર્યા છે. આ અંગેનું એક આવેદનપત્ર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના તાલુકા પ્રમુખ ભાવિનભાઇ રાઠોડ અને ભરતભાઈ પરમારના નેજા હેઠળ માણાવદર મામલતદાર ને અપાયું છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહી તથા ઉતર પ્રદેશ સરકારને હાંકી કાઢી રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે. કચ્છના દેવજીભાઇ મહેશ્વરીના પરિવારને સહાય સાથે એક વ્યક્તિને કાયમી નોકરી તથા પરિવાર ને પોલીસ રક્ષણ આપવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે માગણી કરી છે. હાથરસની યુવતીનો હત્યાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા તથા જવાબદારોને ફાંસીની સજા આપવા મંચે માગણી કરતા જણાવ્યું છે કે, હાથરસ હત્યા બળાત્કાર કેસની તપાસ કરી રહેલા ડી.એમ.જેવા કોઇ અધિકારી સામેલ હોય તો તેને બરતરફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. દલિતો નો રસ્તા પર ગુસ્સો ઊભરાઇ આવ્યો હતો અને ભાજપ તથા યોગી અને મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

આ આવેદનપત્ર આપતી વખતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ ભરતભાઈ પરમાર, ભાવિનભાઇ રાઠોડ, સુરેશભાઈ કાબા, સંજયભાઈ રાઠોડ, પ્રવિણભાઇ પરમાર તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના કાર્યકરો બોહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.