Abtak Media Google News

રાજકોટના રાજવી અને પૂર્વ આરોગ્ય મંત્રી મનોહરસિંહજી જાડેજાના નિધન પર દુ:ખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવતા શહેરના પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, મનોહરસિંહજી જાડેજાએ પોતાના જીવનના છ દાયકા જાહેર જીવનમાં વીતાવ્યા છે ત્યારે મેં મારા રાજકીય જીવનના શ‚આતના વર્ષોમાં સતત તેમનું માર્ગદર્શન મેળવ્યું છે અને ‘દાદા’ હંમેશા છેવાડાના માનવી સાથે તેમની સમસ્યાનો ઉકેલ લાવવા સતત ઉભા હતા ત્યારે તેમના જીવનમાંથી સતત મને પ્રેરણા મળી છે ત્યારે એક વિશિષ્ટ વ્યક્તિએ વિદાય લીધી હોય હવે તેની યાદોની વણઝાર લોક માનસમાં હંમેશા રહેશે એમ અંતમાં ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે મનોહરસિંહજી જાડેજાને શ્રધ્ધાંજલી પાઠતવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.