Abtak Media Google News

મહામહેનતે ગાયને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી : ખુલ્લા ખાડાઓ ઢાંકવાની માંગ

મોરબીના દરબારગઢ નજીક તંત્રની બેદરકારીના કારણે ગાય ભોંયરામાં ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવના પગલે જીવદયાપ્રેમીઓમાં તંત્ર સામે નારાજગી સર્જાઈ હોવાનું જોવા મળી રહ્યું છે. ભોંયરામાં ખબકેલી આ ગાયને સેવાભાવીઓએ મહામહેનતે બાર કાઢતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મોરબીમાં પ્રથમ વરસાદેજ તંત્રની બેદરકારી છતી થઈ છે. દરબારગઢ નજીક ભોંયરૂ ખુલ્લું રાખી દેવામાં આવતા આજે એક ગાય તે ભોંયરામાં ખાબકી હતી. બાદમાં સેવાભાવિ યુવકોએ ગાય ને જે.સી.બી ની મદદથી મહામહેનતે હેમ ખેમ બહાર કાઢી હતી.

આ ઘટનાને પગલે જીવદયાપ્રેમીઓ તંત્ર સામે નારાજગી જોવા મળી હતી. મોરબીમાં આવી જોખમી જગ્યાઓ ને તાકીદે ઢાકવામાં નહીં આવે તો ભર ચોમાસે અનિચ્છનીય ઘટના સર્જાવાની આશંકા સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.