Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ  અને નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત આલ્ફનસસ સ્ટોઈલીંગા વચ્ચે વાયબ્રન્ટ સમીટ દરમિયાન થયેલા વિવિધ એમઓયુ સંદર્ભે આજે પરામર્શ થયો હતો. નેધરલેન્ડના રોટર ડેમ પોર્ટ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ વચ્ચે મેરીટાઈમ યુનિવર્સિટી અને મેરીટાઈમ કલ્સટર વિકસાવવા થયેલા એમઓયુ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટી અને નેધરલેન્ડની યુનિવર્સિટી વચ્ચે એગ્રીકલ્ચર રિસર્ચ માટે સહભાગીતા અંગેની ચર્ચા પણ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.