પાલીતાણા ખાતે તમામ કોરોના વોરિયર્સને ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં રાજદીપ એન્ટરપ્રાઇઝના સફાઇ કર્મીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા સાથે પોલીસ સ્ટાફ, જેમાં શેઠ.આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા લોકડાઉન દરમિયાન એક કરોડ થી વધુની અનાજ કિટો વિતરણ કરવામાં આવી હતી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણાના નાયબ કલેક્ટર ડો. સંદીપકુમાર વર્માના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા સાથે પાલીતાણા ટાઉન પી.આઈ.એન.એમ ચૌધરી, નગરપાલિકા કાઉન્સીલર, ઓમદેવસિંહ સરવૈયા,મનુભાઈ શાહ,શેઠ આણંદજી કલ્યાણજી પેઢી મેનેજર સહિતના અધિકારીઓ આ કોરોના વોરિયર્સને સન્માન પત્ર આપવા ઉપસ્થિત રહ્યાં હતાં. ભીમ બ્રિગેડ યુવા ગ્રુપના કિરીટભાઈ સાગઠિયા સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર વિતરણ કરી તેમનો હોસલો વધાર્યો હતો.
Trending
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક
- મોરબીમાં પાનેતર પહેરી પરિક્ષા આપવા પોહચી દુલ્હન