Abtak Media Google News

કોરોના સંક્રમીત દર્દીને પોષણયુક્ત આહાર સાથે સેવા આપતા કેન્સર કેર હોસ્પિટલના કર્મીઓ

રાજકોટ શહેર તથા જિલ્લામાંથી કોરોનાનો કેર દૂર કરવા માટે સૌ કોઈ પોતાનાથી બનતું કરી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર કેન્સર કેર હોસ્પિટલ ડેડીકેટેડ સેન્ટર ખાતે સારવાર મેળવતા કોરોના સંક્રમિત દર્દીઓનો જઠરાગ્નિ ઠારવા માટે સેન્ટરના આહાર વિભાગ સ્ટાફ સતત પ્રયત્નશીલ છે.

આ અંગેની વિગતો આપતા સેન્ટરના ઇન્ચાર્જ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોકટર નિકુંજ મારુએ જણાવ્યું હતું કે, અહીંની હોસ્પિટલમાં સવારે સાત વાગ્યે ગરમ નાસ્તો, નવ વાગ્યે ગરમ લીંબુ પાણી, સવારે ૧૦:૩૦ વાગ્યે ફળો, ૧૨ વાગ્યે રોટલી, દાળ-ભાત, શાક, સલાડ, મીઠાઈ, કઠોળથી ભરેલું સંપૂર્ણ ભાણું, બપોરે ૩ વાગ્યે ચા બિસ્કીટ, સાંજે ૭ વાગ્યે ખીચડી-કઢી ભાખરી શાક અને રાત્રે હળદરવાળું દૂધ પ્રત્યેક દર્દીને આપવામાં આવે છે. તે ઉપરાંત, ડાયાબિટીસના દર્દીઓને ખાંડ વગરનું અલગ ભોજન આપવામાં આવે છે. આહાર વિભાગનો સ્ટાફ હાથમાં ગ્લોઝ માથામાં કેપ અને પીપી.ઈ. કીટ પહેરીને રસોઈ બનાવે છે તથા કોરોના સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સમર્પિત ભાવ સાથે ડીસ્પોસેબલ ડિશમાં આ તમામ ભોજન પીરસવામાં આવે છે અને દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવાના તથા પુન: સ્વસ્થ થવાની ક્ષમતા વધારવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. દર્દીઓ પણ આ બાબતે પૂર્ણ સહકાર આપે છે અને તેમને આપવામાં આવતું ભોજન હું હોંશે-હોંશે આરોગે છે. સમગ્ર રાજ્યમાંથી કોરોનાને મારી હટાવવા માટે સૌ કોઈ વ્યક્તિ પોતાનાથી બનતુ તમામ કરી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કેન્સર કેર હોસ્પિટલમાં કાર્યરત કરાયેલું ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમણને નાથવા માટે ખૂબ જ અસરકારક પુરવાર થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.