Abtak Media Google News

પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાનીમાં બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલજીના સ્ટેચ્યુ પાસે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટના નગરજનોએ સામુહિક શ્રધ્ધાંજલિ આપેલ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલજીના સ્ટેચ્યુથી રાજીવ ગાંધીજીના સ્ટેચ્યુ સુધી શહીદોને શ્રધ્ધાંજલિ આપવા  કેન્ડલ માર્ચ કરેલ હતી અને આ કેન્ડલ માર્ચમાં રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને રાજકોટના નગરજનો સાથે જોડાયા હતા.

આ કાર્યક્રમમાં પ્રદેશ આગેવાનો ડો. હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, નીદિતભાઈ બારોટ, ડી.પી.મકવાણા, મુકેશભાઈ ચાવડા, ડો. રાજદીપસિંહ જાડેજા, ડો.ધરમભાઇ કામલીયા, મનોજભાઈ રાઠોડ, વશરામભાઈ સાગઠીયા, ગોપાલભાઈ અનડકટ, રહીમભાઈ સોરા, મહિલા કોંગ્રેસ મનીષાબા વાળા, હિનાબેન વડોદરિયા, સોનલબેન ભાલોડી, દુરૈયાબેન મુસાણી, પ્રફુલાબેન ચૌહાણ, હિરલ રાઠોડ, શાંતાબેન મકવાણા, સરોજબેન રાઠોડ, કોર્પોરેટરો અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.