Abtak Media Google News

આહિર રેજીમેન્ટ મુદ્દે આંદોલનકારી પ્રવિણરામને દિલ્હી ખાતે ધરણા પર બેસવાની પરમીશન આપવામાં ન આવતા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આહિર સમાજ દ્વારા રેલી કાઢીને આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત રાજકોટ ખાતે પણ આહિર સમાજે બાઈક રેલી યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ૨૬ કરોડની વસ્તી ધરાવતા આહિર સમાજને ધ્યાને રાખી ભારતીય સેનામાં આહિર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવે અથવા તો તમામ રેજીમેન્ટ નાબૂદ કરવામાં આવે, ૧૮ નવેમ્બરને રેજાગલા શૌર્ય દિવસ જાહેર કરવામાં આવે અથવા રેજાગલાની શૌર્ય ગાથા તમામ પાઠય પુસ્તકમાં સમાવેશ કરવામાં આવે સહિતની માંગણીઓ આહિર સમાજ દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.